1 કલાક પેહલા
- કૉપી લિંક
શા માટે અશ્વસ્થામાનું મૃત્યુ ન થયું, આજે પણ તેઓ મોક્ષ માટે કેમ ભટકી રહ્યા છે?
બ્રજભૂમિના પિસાવા ગામથી એક કિમી દૂર ભયંકર ઝાડીઓ છે. જેને ‘ઝાડી બાબાનું જંગલ’ કહેવામાં આવે છે. તેમાં ઘણા દેવી-દેવતાઓનાં પ્રાચીન મંદિરો છે અને તે મહાભારતના અમર નાયક અશ્વત્થામાનું નિવાસસ્થાન છે. માત્ર સ્થાનિક લોકોનું જ નહીં, પુરાણોમાં પણ આ સત્યનું વર્ણન છે. તેમના ડરને કારણે કોઈ જંગલમાંથી લાકડું લઈને તેને વેચી શકતું નથી. તેઓ ભૂલથી પણ આ રહસ્યમય વિસ્તારમાં આવતા નથી. જો કે, કેટલાક લોકોના જણાવ્યા અનુસાર, તે દરરોજ પૂજા કરવા માટે મધ્ય પ્રદેશ રાજ્યના અસીરગઢ કિલ્લામાં સ્થિત એક શિવ મંદિરમાં પણ જાય છે.
છેવટે, મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામાનું શું થયું? શું તે અન્ય યોદ્ધાઓની જેમ યુદ્ધમાં શહીદી પામી શક્યો ન હતો અથવા તેને જીવનભર ભટકવાનો શ્રાપ મળ્યો હતો? જો તે પીસાવાના જંગલોમાં ભટકતો હોય તો સ્થાનિક લોકોને કોઈ નુકસાન નથી થતું? આ ગાઢ જંગલની ઝાડીઓમાં અનેક ઝેરી જીવો રહે છે.
આપણે ‘મહાભારત’ ગ્રંથમાં જોયું છે કે જ્યાં અર્જુન, કર્ણ, શ્રી કૃષ્ણ, ભીમ, ભીષ્મ, દ્વોણાચાર્ય અને દુર્યોધન જેવા મહાન યોદ્ધાઓ હતા, ત્યાં અશ્વત્થામા પર બહુ ઓછું ધ્યાન આપવામાં આવ્યું હશે. પરંતુ અશ્વત્થામા મહાભારતનું એક એવું પાત્ર છે જે ઈચ્છે તો યુદ્ધનું સ્વરૂપ બદલી શક્યા હોત.
અશ્વત્થામા કાલ, ક્રોધ, યમ અને ભગવાન શિવનો સંયુક્ત અવતાર
ભગવાન શંકરના અનેક અવતારોનું વર્ણન પણ ગ્રંથોમાં જોવા મળે છે. તેમની વચ્ચે એક અવતાર છે, જે હજુ પણ પોતાના મોક્ષ માટે પૃથ્વી પર ભટકી રહ્યો છે. આ ગુરુ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાનો અવતાર છે. દ્વાપરયુગમાં જ્યારે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે અશ્વત્થામાએ કૌરવોને ટેકો આપ્યો હતો. મહાભારત અનુસાર, અશ્વત્થામા કાલ, ક્રોધ, યમ અને ભગવાન શંકરના સંયુક્ત અવતાર હતા. અશ્વત્થામા ખૂબ જ ક્રોધી સ્વભાવના ખૂબ જ બહાદુર યોદ્ધા હતા. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને લાંબા સમય સુધી પૃથ્વી પર ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો હતો. અશ્વથામા વિશે એક લોકપ્રિય માન્યતા…
‘મધ્ય પ્રદેશના બુરહાનપુર શહેરથી 20 કિલોમીટર દૂર એક કિલ્લો છે. તેને અસીરગઢ કિલ્લો કહેવામાં આવે છે. આ કિલ્લામાં ભગવાન શિવનું પ્રાચીન મંદિર છે. ‘અહીંના સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અશ્વત્થામા દરરોજ આ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરવા આવે છે.’
ગુરુ દ્રોણાચાર્યનું મૃત્યુ
હજારો વર્ષ પહેલાં સત્યયુગમાં મહાભારત યુદ્ધના દિવસોની વાત છે, જ્યારે ભીષ્મ પિતામહ જેવા ગુરુ દ્રોણાચાર્ય પાંડવોની જીતમાં સૌથી મોટો અવરોધ બની રહ્યા હતા. શ્રી કૃષ્ણ જાણતા હતા કે જ્યાં સુધી ગુરુ દ્રોણ જીવિત છે ત્યાં સુધી પાંડવોનો વિજય અસંભવ હતો. તેથી શ્રી કૃષ્ણએ એક યોજના બનાવી જેના હેઠળ શક્તિશાળી ભીમે અશ્વત્થામા નામના હાથીને યુદ્ધમાં મારી નાખ્યો. આ હાથી માલવ રાજા ઇન્દ્રવર્માનો હતો. જ્યારે યુધિષ્ઠિર દ્વારા ‘અશ્વત્થામાં હતઃ ઇતિ, નરો વા કુંજરો વા’ કહીને દ્રોણાચાર્યને અશ્વત્થામાના મૃત્યુની ખોટી માહિતી આપવામાં આવી, ત્યારે તેમણે પોતાનાં શસ્ત્રો છોડી દીધાં અને સમાધિમાં બેસી ગયા. આ તકનો લાભ લઈને દ્રૌપદીના ભાઈ ધૃષ્ટદ્યુમ્ને તેમનું માથું કાપી નાખ્યું.
અશ્વત્થામા દ્વારા પાંડવોની છાવણી પર હુમલો
દ્રોણના પુત્ર અશ્વત્થામાને પિતાના મૃત્યુના સમાચાર મળતાં જ તે દુઃખી થઈ ગયો. યુદ્ધ દરમિયાન, અશ્વત્થામાએ દુર્યોધનને વચન આપ્યું હતું કે તે તેના પિતાના મૃત્યુનો બદલો લેશે. આ પછી તેણે પાંડવોને કોઈપણ રીતે મારવાની પ્રતિજ્ઞા લીધી. યુદ્ધના છેલ્લા દિવસે દુર્યોધનની હાર પછી, અશ્વત્થામાએ બાકીની કૌરવ સેના સાથે પાંડવ શિબિર પર હુમલો કર્યો. તે રાત્રે તેણે પાંડવ સેનાના ઘણા યોદ્ધાઓ પર હુમલો કરીને મારી નાખ્યા. તેણે તેના પિતાના હત્યારા ધૃષ્ટદ્યુમ્ન અને તેના ભાઈઓને મારી નાખ્યા અને તેણે દ્રૌપદીના પાંચ પુત્રોને પણ મારી નાખ્યા.
બ્રહ્માસ્ત્ર ચલાવ્યા પછી બંદી બનાવાયો હતો
આ કાયરતાપૂર્ણ કૃત્ય બાદ અશ્વત્થામા છાવણી છોડીને ભાગી ગયો. જ્યારે અર્જુનને દ્રૌપદીના પાંચ પુત્રોની હત્યાના સમાચાર મળ્યા ત્યારે તે ગુસ્સે થયો અને રડતી દ્રૌપદીને કહ્યું કે તે અશ્વત્થામાનું માથું કાપીને તેને અર્પણ કરશે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ સાથે અશ્વત્થામાની શોધમાં નીકળ્યો. અર્જુનને જોયા પછી અશ્વત્થામા અસુરક્ષિત અનુભવવા લાગ્યો. બચવા માટે તેણે બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો જે તેને દ્રોણાચાર્ય દ્વારા આપવામાં આવ્યું હતું. ગુરુનો પુત્ર હોવા છતાં, તે માત્ર બ્રહ્માસ્ત્રને કેવી રીતે છોડવું તે જાણતો હતો અને તેને પાછું કેવી રીતે લેવું તે જાણતો ન હતો. તેમ છતાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કર્યો. બીજી તરફ શ્રી કૃષ્ણએ પણ અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડવાની સલાહ આપી હતી. અશ્વત્થામાએ પાંડવોનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું જ્યારે અર્જુને તેમનો નાશ કરવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું.
બ્રહ્માસ્ત્રનો નાશ કર્યા પછી અશ્વત્થામાને દોરડામાં બાંધીને દ્રૌપદી પાસે લાવવામાં આવ્યો. અશ્વત્થામાને દોરડાથી બાંધેલો જોઈને દ્રૌપદીનું કોમળ હૃદય પીગળી ગયું અને તેણે અર્જુનને અશ્વત્થામાને મુક્ત કરવા કહ્યું.
અશ્વત્થામાના આ કૃત્ય માટે, ભગવાન શ્રી કૃષ્ણએ તેને શ્રાપ આપ્યો કે ‘તું પાપી લોકોનાં પાપોને લઈને ત્રણ હજાર વર્ષ સુધી નિર્જન સ્થળોએ ભટકતો રહીશ. તારા શરીરમાંથી હંમેશા લોહીની દુર્ગંધ આવતી રહેશે. તું અનેક રોગોથી પીડાઈશ અને મનુષ્ય અને સમાજ પણ તારાથી દૂર રહેશે. એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણના શ્રાપ પછી અશ્વત્થામા તેના મૃત્યુની શોધમાં ભટકતો રહ્યો પરંતુ તેને મૃત્યુ ન મળ્યું અને ત્યારથી તે મથુરાના આ વિસ્તારમાં તેમના સ્થાન પર હાજર હોવાનું કહેવાય છે.
દૂર-દૂરથી ભક્તો અહીં પરિક્રમા કરવા આવે છે. અહીં ઘણાં મંદિરો આવેલાં છે, એટલું જ નહીં, સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અહીં આસપાસ ઘણાં જૂનાં ખંડેર છે, જે કોણ જાણે કયા મહાન વ્યક્તિત્વ દ્વારા બનાવવામાં આવ્યાં હશે તે કોઇ નથી જાણતું! ખાસ વાત એ છે કે આ જંગલનાં લાકડાં કાપવાની કે વેચવાની કોઈ હિંમત કરતું નથી. તે વિશાળ જંગલની અંદર પણ કોઈ જતું નથી. પરિક્રમાનો માર્ગ પણ કાચા રસ્તેથી પસાર થાય છે.
બુરહાનપુરનો ઈતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે. પહેલા આ સ્થળ ખાંડવના જંગલ સાથે જોડાયેલું હતું. આ સ્થળના અગ્રણી ભરવાડ આસા આહીરના નામ પરથી કિલ્લાનું નામ અસીરગઢ રાખવામાં આવ્યું હતું. આ રૂપ ફારુખી વંશના રાજાઓએ ઇ.સ. 1380માં કિલ્લાને આપ્યું હતું.
મહાભારતનાં મુખ્ય પાત્રોમાંનું એક અશ્વત્થામા હતું. તે કૌરવો અને પાંડવોના ગુરુ દ્રોણાચાર્યના પુત્ર હતા. હનુમાનજી જેવા આઠ અમર લોકોમાં અશ્વત્થામાનું નામ પણ આવે છે. આ વિષય પર એક લોકપ્રિય શ્લોક છે –
अश्वत्थामा बलिव्र्यासो हनूमांश्च विभीषण:।
कृप: परशुरामश्च सप्तएतै चिरजीविन:॥
सप्तैतान् संस्मरेन्नित्यं मार्कण्डेयमथाष्टमम्।
जीवेद्वर्षशतं सोपि सर्वव्याधिविवर्जित।।
એટલે કે – અશ્વત્થામા, રાજા બલી, વ્યાસજી, હનુમાનજી, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને ઋષિ માર્કંડેય – આ આઠ અમર છે.
શિવના અશ્વત્થામા અવતારની પૂજા નથી થતી
પુરાણો અનુસાર, એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના 19 અવતાર હતા અને તે બધામાંથી 18 અવતાર પૂજનીય માનવામાં આવે છે. ભગવાન શિવનો એક એવો અવતાર છે જે પોતાની ભૂલને કારણે શ્રાપ પામ્યો હતો અને કોઈ સન્માનને પાત્ર ન હતો.
શ્રીકૃષ્ણએ અશ્વત્થામાને 3000 વર્ષ સુધી ભટકવાનો શ્રાપ આપેલો
શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને નરાધમ કહ્યો અને તેમને 3,000 વર્ષ સુધી રક્તપિત્ત તરીકે ભટકવાનો શ્રાપ આપ્યો હતો, વેદવ્યાસજી પણ આ શ્રાપનો ઉલ્લેખ કરે છે કરે છે. (મહાભારત: સૌપ્તિકા પર્વ) આથી, અહીં સાબિત થયું કે શ્રી કૃષ્ણએ અશ્વત્થામાને કલિકાલના અંત સુધી નહીં, માત્ર 3,000 વર્ષ જીવિત રહેવા અને ભટકતા રહેવાનો શ્રાપ આપ્યો હતો.
અશ્વત્થામાને શ્રાપમાંથી મુક્તિ મળી છે કે નહીં?
શિવ મહાપુરાણ (શત્રુદ્ર સંહિતા-37) અનુસાર, અશ્વત્થામા હજુ પણ જીવિત છે અને તે ગંગાના કિનારે રહે છે, પરંતુ તેમનું નિવાસ સ્થાન ક્યાં છે તે જણાવવામાં આવ્યું નથી. પરંતુ ગણતરી મુજબ, અશ્વત્થામાના શ્રાપનો સમયગાળો સમાપ્ત થઈ ગયો છે, કારણ કે જો આપણે મહાભારતનું યુદ્ધ ઓછામાં ઓછું ઇ.સ. પૂર્વે 3,000માં થયું હોવાનું માનીએ તો આ ઘટનાને અત્યાર સુધીમાં લગભગ 5,000 વર્ષ વીતી ચૂક્યાં હશે અને અશ્વત્થામાને માત્ર 3,000 માટે જ જીવિત શરીર સાથે ભટકતા રહેવાનો શ્રાપ મળ્યો હશે.
આધુનિક સંશોધનો શું કહે છે?
આધુનિક સંશોધન મુજબ, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ઇ.સ. પૂર્વે 3112માં થયો હતો, પરંતુ આર્યભટ્ટ દ્વારા ઉલ્લેખિત સમય પર પણ ધ્યાન આપવાની જરૂર છે. તેઓ કહે છે કે મહાભારત યુદ્ધ ઇ.સ. પૂર્વે 3137માં થયું હતું. બીજી તરફ, બ્રિટનમાં કામ કરતા ન્યુક્લિયર મેડિસિન ફિઝિશિયન ડૉ. મનીષ પંડિતે મહાભારતમાં વર્ણવેલી 150 ખગોળીય ઘટનાઓના સંદર્ભમાં જણાવ્યું હતું કે, મહાભારતનું યુદ્ધ ઇ.સ. પૂર્વે 22 નવેમ્બર 3067ના રોજ થયું હતું. તે સમયે ભગવાન કૃષ્ણ 55-56 વર્ષના હતા. તેમણે તેમની શોધ માટે મેમ્ફિન યુનિવર્સિટી, ટેનેસી ખાતે ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડૉ. નરહરિ આચાર્ય દ્વારા 2004-05માં હાથ ધરાયેલા સંશોધનને પણ ટાંક્યું હતું.
‘માથુર ચતુર્વેદી બ્રાહ્મણોનો ઈતિહાસ’ના લેખક બાલમુકુંદ ચતુર્વેદીનો આ સંબંધમાં દરેક વ્યક્તિથી અલગ અભિપ્રાય છે. પરંપરામાંથી મળેલા ઈતિહાસ અને પેઢીઓની ઉંમરની ગણતરી કર્યા બાદ તેઓ કહે છે કે શ્રી કૃષ્ણનો જન્મ વિક્રમ સંવત પહેલાં 3114માં થયો હતો. આ મુજબ, અશ્વત્થામા 2,000 વર્ષ પહેલા શ્રાપમાંથી મુક્ત થઈ ગયો હશે અને હવે તેના જીવિત હોવાની શક્યતાઓ ઓછી છે. આવી સ્થિતિમાં તેના અસ્તિત્વ વિશે અટકળો લગાવવી યોગ્ય નથી.
એ અલગ વાત છે કે શ્રાપમાંથી મુક્ત થયા પછી પણ અશ્વત્થામા પોતાની મરજીથી જ જીવતો રહ્યો, કારણ કે આટલા હજાર વર્ષ જીવતો સામાન્ય માનવી પણ પોતાની શક્તિથી જ જીવતા શીખ્યો હશે અને તે અશ્વત્થામા હત
આ કારણોસર કદાય અશ્વત્થામાએ મુક્તિ નથી લીધી
કહેવાય છે કે કળિયુગમાં ગમે તેટલાં પાપ વધી જાય પણ એક દિવસ એનો અંત ચોક્કસ જ આવશે. તે સમયે ભગવાન તેમનો છેલ્લો અવતાર લેશે જેને ‘કલ્કિ’ અવતાર કહેવામાં આવે છે. કલ્કિ પોતાના ઘોડા પર સવાર થઈને કલિયુગનો અંત લાવશે અને ફરી એકવાર પૃથ્વી પર સત્ય અને ધર્મની સ્થાપના થશે. એવું પણ માનવામાં આવે છે કે આ પૃથ્વી પર હજુ પણ આવા 7 મહાન આત્માઓ છે જે અમર છે. તેમાં હનુમાન, અશ્વત્થામા, પરશુરામ, મહારાજા બલી વગેરેનો સમાવેશ થાય છે. આ સાત અમર આત્માઓ ભગવાન કલ્કિને ટેકો આપશે અને કળિયુગનો અંત કરશે. તો જ તેઓ મુક્તિ પ્રાપ્ત કરી શકશે.