26 મિનિટ પેહલા
- કૉપી લિંક
દશેરાના તહેવારને ‘વિજ્યાદશમી’ પણ કહેવામાં આવે છે. એ આજના સમયમાં અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. દુષ્ટતા કોઈપણ સ્વરૂપમાં હોઈ શકે છે, જેમ કે અસત્ય, વેર, ઈર્ષા, દુઃખ, આળસ વગેરે. કોઈપણ આંતરિક દુષ્ટતાને દૂર કરવી એ પણ સ્વ-વિજય છે અને આપણે તમારી આજુબાજુ આવી દુષ્ટતાને દૂર કરી એને દર વર્ષે વિજયાદશમી ઉત્સવ તરીકે ઊજવીએ, જેથી એક દિવસ તમે બધી ઇન્દ્રિયો પર વિજય મેળવી શકશો. ખરાબ આચરણ પર સારા આચરણની જીત મેળવી દશેરાની ઉજવણી કરીએ. સામાન્ય તરીકે દશેરા વિજય પર્વ તરીકે ઊજવાય છે. ઉજવણીની દરેકની માન્યતા અલગ અલગ છે.
ખેડૂતો માટે એ નવા પાકના આગમનની ઉજવણી છે. પ્રાચીન સમયમાં આ દિવસે સાધનો અને શસ્ત્રની પૂજા કરવામાં આવતી હતી, કારણ કે તેઓ તેને યુદ્ધમાં થયેલા વિજયના ઉત્સાહ સ્વરૂપ હતું, પણ આ બધાનું મુખ્ય કારણ તો એક જ છે બુરાઈ પર અચ્છાઈની જીત. ખેડૂતો માટે આ મહેનતના ફળના સ્વરૂપમાં ઊગતા પાકનો ઉલ્લાસ તેમજ સૈનિકો માટે યુદ્ધમાં શત્રુ પર વિજયનો ઉત્સાહ એટલે વિજયાદશમી. આ દિવસે અમુક પરિવારોમાં દશેરાના નૈવેદ્ય થાય છે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા પ્રમાણે, દશેરાના દિવસે વાહન ખરીદવા અને શસ્ત્રપૂજન અને વાહનપૂજન માટેનાં શુભ મુહૂર્ત…..
ભગવાન શ્રીરામ આશ્વિન શુક્લ દશમીએ લંકાના રાજા રાવણનો વધ કર્યો હતો, જેમણે તેમનાં પત્ની સીતાનું અપહરણ કર્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર, રાવણનું ભયંકર યુદ્ધ પછી દશમીએ મૃત્યુ થયું હતું અને શ્રીરામે લંકા પર વિજય મળવ્યો હતો, તેથી આ દિવસને વિજયાદશમી અથવા દશેરા તરીકે ઊજવવામાં આવે છે. એ જ સમયે મા દુર્ગાએ 10 દિવસ સુધી મહિષાસુર સાથે ભયંકર યુદ્ધ લડ્યું અને અશ્વિન શુક્લ દશમીએ એનો વધ કર્યો. આ કારણે પણ વિજ્યાદશમી તરીકે ઊજવવામાં આવે છે. આ બંને અનિષ્ટ પર સારા અને અન્યાય પર ધર્મની જીતનું પ્રતીક છે.
શસ્ત્રપૂજા કેવી રીતે કરવામાં આવે છે? માન્યતા અનુસાર, દશેરાના દિવસે શસ્ત્રપૂજા કરવાની પરંપરા છે. આ દિવસે શસ્ત્રને પૂજા કરવા માટે એકત્ર કરી એના પર ગંગાજળ છાંટી એને શુદ્ધ કરવામાં આવે છે. પછી એને હળદળ, કંકુ, ચોખાથી પૂજા કરવામાં આવે છે. શસ્ત્રપૂજામાં શમીના પાનનો પણ ઉપયોગ થાય છે, આથી આજના દિવસે શમીના વૃક્ષનું પણ પૂજન કરવામાં આવે છે.
દશેરાની પૂજા કેવી રીતે કરવામાં આવે છે? સવારે નિત્યક્રમ પૂરું કરી મા દુર્ગાનું પૂજન કરવું. નવમી વિજ્યાદશમીએ વિસર્જન અને નવરાત્રિનાં પારણાં કરવાં. સવારે ઈશાન ખૂણામાં ભૂમિ ગંગાજળથી શુદ્ધ કરી ચંદન, કંકુથી અષ્ટદળ કમળ કરી પૂજાની સામગ્રીથી પૂજન કરવું.શમીના વૃક્ષની પૂજા કરવી, એની પ્રદક્ષિણા ફરવી, ત્યાર પછી શમીના વૃક્ષની થોડી માટી લઈ એને ઘરમાં રાખવાથી દરેક પ્રકારની નેગેટિવ ઊર્જા દૂર રહે છે. શમી પૂજન કરવાથી આયુષ્ય, સ્વાસ્થ્ય અને શક્તિમાં વધારો થાય છે અને પાપોનો નાશ થાય છે.
દશેરાના દિવસે વાહનની ખરીદી શા માટે કરવામાં આવે છે? દશેરા એટલે વિજ્યાદશમી. વિજ્યાદશમીને શાસ્ત્રોમાં વણજોયું મુહૂર્ત ગણાય છે. આવા શુભ મુહૂર્તના દિવસે વાહનોની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે ખરીદેલાં વાહન શુભકારી થાય છે.
આ વર્ષે નૂતન વર્ષ, લાભ પાંચમ અને સાતમે શુભ મુહૂર્તમાં વેપારીઓ પેઢીનું મુહૂર્ત શુભ ચોઘડિયામાં કરશે. ચોપડા નોંધાવવા, ખરીદવા, શસ્ત્રપૂજા અને વાહનોની પૂજા માટેનાં શુભ મુહૂર્ત નીચે મુજબ જણાવેલાં છે. શમી, શાસ્ત્ર, ઘોડા તથા વાહન વગેરે પૂજનનો ઉત્તમ દિવસ તેમજ ચોપડા નોંધાવવા કે ખરીદવા કે કોઈપણ નવા કાર્યનો શુભારંભ કરવા માટે અતિઉત્તમ દિવસ નવા વર્ષના ચોપડા ખરીદવાનું શ્રેષ્ઠ મુહૂર્ત કહી શકાય.