6 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે (12 ઓક્ટોબર) આસો સુદ દશમી એટલે કે દશેરા છે. ત્રેતાયુગમાં આ તારીખે શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. રાવણને દુષ્ટતાનું પ્રતિક માનવામાં આવે છે. શ્રી રામચરિત માનસ અનુસાર, શ્રીરામે રાવણને મારવા માટે એક સાથે 31 તીર માર્યા હતા.
શ્રી રામના 31 તીરોમાંથી તેમના 10 માથા તેમના શરીરથી અલગ થઈ ગયા હતા. 20 બાણોથી રાવણના 20 હાથ કપાઈ ગયા અને એક તીર રાવણની નાભિમાં વાગ્યું. આ 31 તીરોથી રાવણનો પરાજય થયો હતો. રાવણનું વિશાળ ધડ પૃથ્વી પર પડતાની સાથે જ ધરતી ધ્રૂજવા લાગી. હવે જાણો રાવણના પરાજય પછી લંકામાં શું થયું…