- Gujarati News
- Dharm darshan
- Diwali Is The Festival Of Worshiping Yamaraj With Goddess Lakshmi, Lighting A Lamp For Yamaraj Every Day From Dhanteras.
8 મિનિટ પેહલા
- કૉપી લિંક
28 ઓક્ટોબર સોમવારથી દીપોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ પર્વ આમ તો પાંચ દિવસનું રહે છે, દિવાળીએ લક્ષ્મી પૂજા સાથે જ યમરાજની પણ ખાસ પૂજા કરવી જોઈએ. આ પર્વ યમરાજ પૂજા માટે પણ ખાસ છે.
અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવામાં આવે છે આસો વદ અમાસ (31 ઓક્ટોબર)ના રોજ પિતૃઓનું પૂજન કરવામાં આવે છે. આ તિથિએ સૂર્ય-ચંદ્ર તુલા રાશિમાં રહે છે. આ રાશિમાં સૂર્ય નીચનો રહે છે અને દક્ષિણ ગોળાર્ધ તરફ નમેલો રહે છે. દક્ષિણ દિશાના સ્વામી યમરાજ છે. એટલે બધા પિતૃઓનું પૂજન દક્ષિણ દિશા તરફ મુખ કરીને કરવામાં આવે છે. અમાસ તિથિના સ્વામી યમરાજ માનવામાં આવે છે. આ કારણે દિવાળીએ લક્ષ્મી પૂજા સાથે જ યમરાજની પણ પૂજા કરવામાં આવે છે.
દિવાળીએ લક્ષ્મી પૂજા સાથે જ યમરાજની પણ પૂજા કરવામાં આવે છે
ધનતેરસથી ભાઈબીજ સુધી રોજ યમરાજ માટે દીવો પ્રગટાવવો
- દીપોત્સવમાં યમરાજ માટે દક્ષિણ દિશામાં એક દીવો પ્રગટાવવો જોઈએ. ધનતેરસના દિવસે સાંજે એક અનાજના વાસણ ઉપર દક્ષિણ દિશામાં મુખ કરીને દીવો પ્રગટાવવો જોઈએ.
- કાળી ચૌદશના દિવસે યમરાજનું પૂજન કરો. દિવાળીએ પિતૃઓ અને યમરાજનું પૂજન કરવાથી કુંડળીના પિતૃ દોષ શાંત થઈ શકે છે.
- દિવાળી પછી ગોવર્ધન પૂજા થાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ દ્વાપર યુગમાં ગોવર્ધન પર્વતનું પૂજન શરૂ કર્યું હતું. શ્રીકૃષ્ણ આત્માને મોક્ષ આપનાર ભગવાન છે, શ્રીકૃષ્ણની પૂજા કરવાથી મનુષ્યના મૃત્યુ પછી તેમની આત્મા યમલોક ન જઈને સીધો મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલે તેમની પૂજા પણ દીપોત્સવ દરમિયાન કરવામાં આવે છે.
- દીવાળીનો પાંચમો દિવસ ભાઈબીજ છે. આ દિવસ યમરાજ અને યમુનાને સમર્પિત છે. માન્યતા છે કે આ દિવસે યમરાજ પોતાની બહેન યમુનાને મળવા જાય છે. આ કારણે આ દિવસે યમરાજ અને યમુનાની પૂજા કરવામાં આવે છે.