1 કલાક પેહલા
- કૉપી લિંક
આજે નવરાત્રિની આઠમ અને નોમ બંને તિથિ છે. આ કારણથી ઘણી જગ્યાએ દેવીની વિશેષ પૂજા, હવન, કન્યા ભોજન અને જાગરણ પણ થશે. આજે જ મહાગૌરી અને સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવામાં આવશે. અષ્ટમીના દિવસે દેવી ચામુંડાના રૂપમાં પ્રગટ થયા હતા અને મહારૂપ નવમીમાં દેવતાઓને દર્શન આપ્યા હતા, તેથી આ તિથિઓને વિશેષ માનવામાં આવે છે. આ તિથિઓ પર, શક્તિપીઠોમાં દેવીની મહાન પૂજા અને શણગાર થાય છે. ગરબો વાળવાનું અને દશેરા 12મી ઓક્ટોબરે થશે.
દેવી શક્તિપીઠોમાં, નવરાત્રિની અષ્ટમી અને નવમી પર દેવીની મહાન પૂજા કરવામાં આવે છે. દેવીના અભિષેકની સાથે જ તેમને પુષ્પ અર્પણ કરવામાં આવે છે. આ તિથિઓ પર ચંડી પાઠ અને હવન થાય છે. કન્યા પૂજા થાય છે.
તંત્ર શક્તિપીઠોમાં યજ્ઞો કરવામાં આવે છે. દેવી ભાગવત અને માર્કંડેય પુરાણ અનુસાર આ તિથિઓમાં સંધી પૂજા થાય છે. આ વિશેષ પૂજામાં દેવીને શણગારવામાં આવે છે અને મંત્રોચ્ચાર સાથે હવન કરવામાં આવે છે. પૂજા બાદ મહા આરતી અને મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવે છે.
grafiks-1
નવરાત્રિની અષ્ટમી પર દેવીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. આ ત્રેતાયુગથી ચાલી રહ્યું છે, જ્યારે શ્રીરામે રાવણને જીતવા માટે શક્તિની ઉપાસના કરી હતી. આ પછી, દ્વાપર યુગમાં પણ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને શરદઋતુની અષ્ટમી (દુર્ગાષ્ટમી) પર દેવીની પૂજા કરવાની રીત જણાવી. દેવી પુરાણ અનુસાર અષ્ટમીના દિવસે દેવી અને ભૈરવ પ્રગટ થયા હતા.
યુધિષ્ઠિરને દુર્ગાષ્ટમી વિશે જણાવતા શ્રીકૃષ્ણએ કહ્યું કે દરેક યુગમાં આ તિથિએ દેવીની પૂજા કરવામાં આવી છે. અષ્ટમી પર દેવીની અનેક રૂપમાં પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહાપૂજા અને કન્યા પૂજા કરવાની પણ પરંપરા છે. આ પછી આખી રાત જાગવું જોઈએ અને દેવીના ભજન અને કીર્તન કરવા જોઈએ.