8 કલાક પેહલા
- કૉપી લિંક
હિન્દુ કેલેન્ડર મુજબ મહાબલી હનુમાનનો જન્મ ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખે મંગળવારે થયો હતો. આ કારણોસર, દર વર્ષે આ દિવસે ભગવાન શ્રીરામના મહાન ભક્ત હનુમાનજીની જન્મજયંતી ઉજવવામાં આવે છે. આ વર્ષની હનુમાન જયંતી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે આ વખતે ત્રેતાયુગમાં હનુમાનજીની જન્મજયંતી દરમિયાન જેવો શુભ યોગ રચાયો હતો તેવો જ શુભ યોગ આ વર્ષે બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ દિવસે પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે. વાનર રાજા કેસરી અને માતા અંજનાના પુત્ર હનુમાનજીને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર માનવામાં આવે છે. હનુમાન જન્મોત્સવના દિવસે તેમની યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓનો અંત આવે છે. આનાથી સુખ, સમૃદ્ધિ અને ધનની સાથે અકાળ મૃત્યુનો ભય પણ સમાપ્ત થાય છે. ચાલો જાણીએ, હનુમાન જયંતીનો શુભ સમય, સામગ્રી, પૂજા પદ્ધતિ, અર્પણ, મંત્ર, પવનપુત્રના અન્ય નામ સહિતની સંપૂર્ણ માહિતી…
હનુમાન જયંતી 2024- તારીખ અને શુભ સમયઃ-
ચૈત્ર માસના સુદ પક્ષની પૂર્ણિમા તિથિનો પ્રારંભ – 23મી એપ્રિલ સવારે 3.25 કલાકથી
ચૈત્ર માસના સુદ પક્ષની પૂર્ણિમા તિથિ – 24મી એપ્રિલ સવારે 5.18 સુધી
હનુમાન જયંતી તારીખ- 23 એપ્રિલ 2024, મંગળવાર
હનુમાન જયંતી પૂજા માટે શુભ સમયઃ-
પ્રથમ શુભ સમય: 23 એપ્રિલે, સવારે 09:03 થી બપોરે 01:58 સુધી
બીજો શુભ સમય: 23 એપ્રિલે, રાત્રે 08:14 થી 09:35 સુધી
બ્રહ્મ મુહૂર્ત- 23 એપ્રિલ સવારે 4.20 થી 05.04 સુધી
અભિજીત મુહૂર્ત- સવારે 11:53 થી 12:46 સુધી.
હનુમાન જયંતી 2024 દુર્લભ યોગ-
શાસ્ત્રો અનુસાર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસની પૂર્ણિમા તિથિએ મંગળવારે મેષ રાશિ, વજ્ર યોગ અને ચિત્રા નક્ષત્રમાં થયો હતો. આ વર્ષે હનુમાન જયંતી પર ત્રેતાયુગનો શુભ યોગ બની રહ્યો છે. આ દિવસ મંગળવાર હોવાની સાથે સાથે નક્ષત્ર, વજ્ર યોગ અને મેષ રાશિના ઉર્ધ્યોગ યોગ પણ બની રહ્યા છે, જ્યાં 23મી એપ્રિલની સવારથી 24મી એપ્રિલની સવારે 04.57 વાગ્યા સુધી વજ્ર યોગ છે. આ સાથે ચિત્રા નક્ષત્ર પણ 23 એપ્રિલે સવારથી 10.32 વાગ્યા સુધી છે.
હનુમાન જયંતીનું મહત્વઃ-
શાસ્ત્રોમાં હનુમાન જયંતીનું વિશેષ મહત્ત્વ છે અને આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી શક્તિ, બુદ્ધિ અને જ્ઞાન મળે છે. તેમજ આ દિવસે ભગવાન હનુમાનની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિને તમામ પ્રકારના અવરોધોથી મુક્તિ મળે છે અને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ અશુભ હોય તેઓ બજરંગબલીની પૂજા કરે તો મંગળના અશુભ પ્રભાવથી બચી શકે છે.
હનુમાન જયંતી 2024 પૂજા સામગ્રીઃ-
બાજોઠ બિછાવવા માટે લાલ કપડું, લાલ લંગોટી, પવિત્ર દોરો, ઝભ્ભો, પાણીનો કળશ, સિંદૂર, ચમેલીનું તેલ, પંચામૃત, ગંગાજળ, અક્ષત, ચંદન, ગુલાબની માળા કે અન્ય કોઈ લાલ ફૂલ, અત્તર, શેકેલા ચણા, ગોળ. નાળિયેર, કેળા અથવા અન્ય ફળો, ચુરમા, પાન-બીડા, દીવો, ધૂપ, કપૂર, ઘી, તુલસીના પાન તથા પૂજા થાળી.
હનુમાન જયંતી પૂજા પદ્ધતિઃ-
આ દિવસે, સૂર્યોદય પહેલાં જાગી જાઓ, તમારા બધા કામ પૂર્ણ કરીને સ્નાન કરો. આ પછી, સ્વચ્છ કપડાં પહેરો. જો તમારે વ્રત રાખવું હોય તો પવનપુત્રને યાદ કરીને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો. આ પછી પૂજા શરૂ કરો. સૌપ્રથમ બાજોઠ પર સ્વચ્છ લાલ રંગનું કપડું પાથરીને ભગવાન હનુમાનજીની મૂર્તિ અથવા ફોટો મૂકો. ત્યારબાદ મૂર્તિને સ્નાન કરાવો. ત્યારબાદ મૂર્તિને સિંદૂર લગાવો. પછી ચમેલીના તેલ, ગુલાબ કે અન્ય લાલ ફૂલ અર્પણ કરવાન સાથે કેસર, માળા, ઝભ્ભો, પવિત્ર દોરો, લાલ લંગોટી વગેરે સાથે ચંદન અર્પણ કરો. ત્યારબાદ અત્તર ચઢાવો. આ પછી તમારી ભક્તિ પ્રમાણે બુંદીના લાડુ, ચણાના લોટના લાડુ, ગોળ-પલાળેલી ચણાની દાળ અને તુલસીના પાન અર્પણ કરો. આ સાથે સોપારી ચઢાવો. પછી જળ અર્પણ કરીને શુદ્ધ ઘી અથવા ચમેલીના તેલનો દીવો, અગરબત્તી પ્રગટાવો અને મૂર્તિની સામે ત્રણ વાર ફેરવીને આરતી કરો. આ પછી હનુમાન ચાલીસા, બજરંગ બાણ, હનુમાન મંત્ર વગેરેનો પાઠ કરો અને અંતે તમારા ભૂલની માફી માગો.
ભગવાન હનુમાનને પણ આ નામોથી ઓળખવામાં આવે છેઃ-
પવનપુત્ર હનુમાનને બજરંગબલી સહિત અનેક નામોથી ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ નામોના જપથી વ્યક્તિના દરેક દુઃખ અને કષ્ટ દૂર થઈ જાય છે. હનુમાનજીના અન્ય નામો છે- મારુતિ, કેસરીનંદન, પવનપુત્ર, પવનકુમાર, મહાવીર, બાલિબીમા, મારુતસુત, અંજનીસુત, સંકટમોચન, અંજનેય, રુદ્ર વગેરે.
હનુમાન જયંતી પર કરો આ મંત્રોનો જાપ-
- हं हनुमंते नम:।
- नासै रोग हरे सब पीरा, जपत निरंतर हनुमत बीरा
- ॐ नमो हनुमते रूद्रावताराय सर्वशत्रुसंहारणाय सर्वरोग हराय सर्ववशीकरणाय रामदूताय स्वाहा।
- ॐ नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा।
- ॐ महाबलाय वीराय चिरंजिवीन उद्दते. हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये। नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा।
- हनुमन्नंजनी सुनो वायुपुत्र महाबल: अकस्मादागतोत्पांत नाशयाशु नमोस्तुते।
હનુમાજીની આરતી-
॥ શ્રી હનુમાન સ્તુતિ ॥
मनोजवं मारुत तुल्यवेगं,
जितेन्द्रियं, बुद्धिमतां वरिष्ठम् ॥
वातात्मजं वानरयुथ मुख्यं,
श्रीरामदुतं शरणम प्रपद्धे ॥
॥ આરતી ॥
आरती कीजै हनुमान लला की ।
दुष्ट दलन रघुनाथ कला की ॥
जाके बल से गिरवर काँपे ।
रोग-दोष जाके निकट न झाँके ॥
अंजनि पुत्र महा बलदाई ।
संतन के प्रभु सदा सहाई ॥
आरती कीजै हनुमान लला की ॥
दे वीरा रघुनाथ पठाए ।
लंका जारि सिया सुधि लाये ॥
लंका सो कोट समुद्र सी खाई ।
जात पवनसुत बार न लाई ॥
आरती कीजै हनुमान लला की ॥
लंका जारि असुर संहारे ।
सियाराम जी के काज सँवारे ॥
लक्ष्मण मुर्छित पड़े सकारे ।
लाये संजिवन प्राण उबारे ॥
आरती कीजै हनुमान लला की ॥
पैठि पताल तोरि जमकारे ।
अहिरावण की भुजा उखारे ॥
बाईं भुजा असुर दल मारे ।
दाहिने भुजा संतजन तारे ॥
आरती कीजै हनुमान लला की ॥
सुर-नर-मुनि जन आरती उतरें ।
जय जय जय हनुमान उचारें ॥
कंचन थार कपूर लौ छाई ।
आरती करत अंजना माई ॥
आरती कीजै हनुमान लला की ॥
जो हनुमानजी की आरती गावे ।
बसहिं बैकुंठ परम पद पावे ॥
लंक विध्वंस किये रघुराई ।
तुलसीदास स्वामी कीर्ति गाई ॥
आरती कीजै हनुमान लला की ।
दुष्ट दलन रघुनाथ कला की ॥
॥ इति संपूर्णंम् ॥