14 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે અષાઢી બીજના શુભ દિવસે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થવા જઈ રહી છે. દર વર્ષે અહીં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. હિંદુ પંચાંગ પ્રમાણે, અષાઢ માસની શુક્લ પક્ષની બીજના અવસરથી અષાઢ માસની શુક્લ પક્ષની દસમી તિથિ સુધી આ ઉત્સવ ચાલે છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે ગુંડિચા મંદિર પહોંચે છે. ત્યારે જાણો ભગવાન જગન્નાથની વિશે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર અલગ-અલગ રથમાં સવાર થઈને ગુંડિચા મંદિર પહોંચે છે, જ્યાં તેઓ કેટલાક દિવસ રહેશે. આ રથયાત્રામાં સૌથી આગળ બલભદ્રનો તલધ્વજ રથ, વચ્ચે સુભદ્રાનો દર્પદલન રથ અને છેલ્લે ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ હોય છે. પુરીના જગન્નાથ મંદિરથી રથયાત્રા શરૂ થઈને ગુંડીચા મંદિર પહોંચે છે, જે ભગવાનની માસીનું ઘર પણ માનવામાં આવે છે.
મંગળા આરતી બાદ લગભગ રાત્રે 2.30 કલાકે દશાવતાર પૂજા થઈ હતી. નેત્રોત્સવ 3 વાગ્યે અને પુરીના રાજા દ્વારા 4 વાગ્યે પૂજા કરવામાં આવી હતી. હવે સૂર્ય પૂજા બાદ ભગવાનને ખીચડી ધરાવવામાં આવશે. ત્યારબાદ રથનું પૂજન કરવામાં આવશે અને ભગવાનને વિશેષ વસ્ત્રોમાં સજ્જ કરીને મંદિરની બહાર લાવવામાં આવશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભીડ ઉમટવાની સંભાવના છે, તેથી ભગવાનનો નવયૌવન દર્શન શક્ય બનશે નહીં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ રથયાત્રામાં ભાગ લેશે.
સૂર્યાસ્ત પછી રથ ખેંચાશે નહીં
આ પૂજા પદ્ધતિઓના કારણે સાંજે 5 વાગ્યા સુધીમાં રથયાત્રા શરૂ થવાની સંભાવના છે. સૂર્યાસ્ત સુધી જ રથ ખેંચવામાં આવશે. સૂર્યાસ્ત બાદ રથ જ્યાં પહોંચશે ત્યાં રોકી દેવામાં આવશે. ભગવાનની દરરોજ પૂજા રથ પર જ થશે. સાંજની આરતી અને ભોગ પછી શયન આરતી થશે. સોમવારે સવારે ફરીથી રથ ખેંચવામાં આવશે અને સાંજ સુધીમાં ગુંડીચા મંદિર પહોંચશે.