29 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે ફાગણ મહિનાની સુદ ચોથ એટલે કે વિનાયક ચતુર્થી છે. આ દિવસે ગણેશજીની પૂજા અને વ્રત કરવામાં આવે છે. ગણેશ પુરાણ અનુસાર ચતુર્થીના દિવસે સવારે અને બપોરે ગણેશજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે સાંજના સમયે ચંદ્રના દર્શન કરીને અર્ઘ્ય અર્પણ કરીને વ્રત પૂરું કરવામાં આવે છે.
ફાગણ મહિનાની વિનાયક ચતુર્થી કેમ મહત્ત્વની છે? ગણેશ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે, વિનાયક ચતુર્થીના દિવસે વ્રત રાખવાથી તમામ કામ પૂર્ણ થાય છે. મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તમામ સુખ-સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે. આ સાથે જ આ વ્રત રોગમાંથી મુક્તિ મેળવવાની ઈચ્છા સાથે પણ રાખવામાં આવે છે. એટલા માટે ફાગણ મહિનાની વિનાયક ચતુર્થી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ વ્રતની પૌરાણિક કથા એકવાર દેવી પાર્વતીએ શિવજી સાથે ચોપાટ રમવાનું શરૂ કર્યું, પરંતુ આ રમતમાં સમસ્યા તે હતી કે કોણ જીત કે હાર નક્કી કોણ કરશે. તેથી જ ઘાસમાંથી બાળક બનાવીને તેમની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ રમતમાં દેવી પાર્વતીનો ત્રણ વખત વિજય થયો હતો. પણ તે બાળકે કહ્યું મહાદેવ જીતી ગયા.
આ બાદ દેવી પાર્વતીએ બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો હતો. બાળકની માફી માંગવા પર માતા પાર્વતીએ કહ્યું કે એક વર્ષ પછી અહીં નાગ કન્યાઓ આવશે. તેમના મતે ગણેશ ચતુર્થીના વ્રતનું પાલન કરવાથી તમારી પરેશાનીઓ દૂર થઈ જશે. આ પછી બાળકની પૂજાથી ગણેશજી પ્રસન્ન થયા.
ગણેશજીએ તેમને તેમના માતા-પિતા એટલે કે ભગવાન શિવ-પાર્વતીના દર્શન કરવા કૈલાસ જવા માટે વરદાન આપ્યું હતું. છોકરો કૈલાસ પહોંચ્યો હતો. તે જ સમયે માતા પાર્વતીને સમજાવવા માટે શિવજીએ 21 દિવસ સુધી ગણેશ ઉપવાસ પણ રાખ્યા અને પાર્વતીજી રાજી થયા. ત્યારબાદ માતા પાર્વતીએ પણ પુત્રને મળવા માટે 21 દિવસનો ઉપવાસ કર્યો અને તેમની મનોકામના પૂર્ણ થઈ. એવું માનવામાં આવે છે કે તે બાળક ભગવાન કાર્તિકેય છે.