2 કલાક પેહલા
- કૉપી લિંક
આસો મહિનાના વદ પક્ષની એકાદશી 27 ઓક્ટોબરના રોજ છે. જેને રમા એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને તેમના અવતારો માટે વ્રત-ઉપવાસ કરવા જોઈએ. માન્યતા છે કે રમા એકાદશીએ કરવામાં આવતા વ્રતથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા મળે છે. રમા મહાલક્ષ્મીનું જ એક નામ છે. આ દિવસે વિષ્ણુજી સાથે જ દેવી લક્ષ્મીનો અભિષેક કરો. આ વ્રતમાં ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પણ પૂજા કરવામાં આવે છે.
પુરાણો અનુસાર રમા એકાદશીના ઉપવાસથી કામધેનુ ગાયને ઘરમાં રાખવા જેવું જ ફળ મળે છે. આ વ્રત રાખવાથી સમૃદ્ધિ વધે છે. આ વ્રત કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. આ વર્ષે રમા એકાદશી પર શુભ યોગનો સંયોગ થઇ રહ્યો છે, વિષ્ણુ પુરાણ અનુસાર આસો મહિનાના વદ પક્ષની એકાદશી રમા એકાદશી આવે છે. સામાન્ય રીતે તે દિવાળીના ચાર દિવસ પહેલા આવે છે. આ વ્રત કરવાની સાથે ભગવાન લક્ષ્મીના પતિ રામ એટલે કે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.
ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન રમા એકાદશી એકાદશી મનુષ્યને કર્મમાંથી મુક્તિ આપે છે. દર વર્ષે 24 એકાદશીઓ આવે છે. જે વર્ષમાં અધિક માસ હોય છે તે વર્ષમાં 26 એકાદશી હોય છે. તમામ એકાદશીઓનું પૌરાણિક મહત્વ છે. કેલેન્ડર મુજબ રમા એકાદશી આસો મહિનામાં આવે છે.રમા એકાદશીને રંભા એકાદશી પણ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે રમા એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ પાપ ધોવાઈ જાય છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીને દેવી લક્ષ્મીના નામ પરથી રમા એકાદશી નામ આપવામાં આવ્યું છે. રમા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.
રમા એકાદશીએ સર્જાશે દુર્લભ ‘શિવવાસ’ યોગ જ્યોતિષાચાર્ય રોહિત જીવાણીના જણાવ્યા અનુસાર, રમા એકાદશીના રોજ બ્રહ્મયોગ સૌથી પહેલા બની રહ્યો છે અને સવારે 6.48 કલાકે બ્રહ્મયોગ સમાપ્ત થશે. આ પછી ઈન્દ્ર યોગ રચાઈ રહ્યો છે. ઈન્દ્રયોગ 29 ઓક્ટોબરે સવારે 7.49 કલાકે સમાપ્ત થશે. જ્યોતિષશાસ્ત્ર બ્રહ્મા અને ઈન્દ્ર યોગને ખૂબ જ શુભ માને છે. આ યોગોમાં ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી સાધક તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ કરે છે.આસો માસના વદ પક્ષની એકાદશી તિથિએ દુર્લભ શિવવાસ યોગ પણ બની રહ્યો છે.
રમા એકાદશીનું મહત્ત્વ રમા એકાદશી વ્રત કામઘેનુ અને ચિંતામણિના સમાન ફળ આપે છે. આ વ્રત કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. આ વ્રત કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પદ્મપુરાણ પ્રમાણે રમા એકાદશીનું પ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે. મૃત્યુ પછી વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે.
તુલસી, આંબળા અને પીપળાના ઝાડની પૂજા આ એકાદશીએ તુલસી, આંબળા અને પીપળાના ઝાડની પૂજા કરવાની પરંપરા છે. આસો મહિનો હોવાથી આ વ્રતનું મહત્ત્વ અનેકગણું વધી ગયું છે. આ દિવસે આ ત્રણ ઝાડની પૂજા કરવાથી અનેક યજ્ઞ કરવાનું પુણ્ય મળે છે. આ એકાદશીએ દીપદાન પણ કરવામાં આવે છે. આ દિવસે તુલસી, આંબળા અને પીપળાના ઝાડ સહિત મંદિર અને નદી, તળાવના કિનારે દીપદાન કરવાથી દરેક પ્રકારના પાપ નષ્ટ થાય છે.
શા માટે કહેવાય છે રમા એકાદશી? રમા એકાદશી ચાતુર્માસની છેલ્લી એકાદશી છે. આ પછી દેવઉઠી એકાદશી આવે છે. આ સાથે રમા એકાદશી દિવાળી પહેલા આવે છે. તેથી આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. માતા લક્ષ્મીને રમાના નામથી પણ ઓળખવામાં આવે છે. તેથી તેને રમા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે.આ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. તેનાથી સુખ, સમૃદ્ધિ અને ધન પ્રાપ્ત થાય છે.
રમા એકાદશી વ્રત કથા દંતકથા અનુસાર, એક શહેરના રાજા મુચુકુંદેએ પુત્રી ચંદ્રભાગાના લગ્ન રાજા ચંદ્રસેનના પુત્ર શોભન સાથે કર્યા હતા. શારીરિક રીતે શોભન ખૂબ જ નબળા હતા. તે એક ટાઇમ પણ ભોજન વિના રહી શકતો ન હતો. કારતક મહિનામાં બંને રાજા મુચુકુંદને ત્યાં ગયા અને તે દિવસે રમા એકાદશી હતી. પિતાના સામ્રાજ્યમાં રમા એકાદશીનું વ્રત મનુષ્યો તેમજ પશુઓ પણ કરતા હતા. ચંદ્રભાગા ચિંતિત હતી કારણ કે પતિ ભૂખ્યો રહી શકતો ન હતો તેથી તેણે શોભનને બીજા રાજ્યમાં જઈને ભોજન લેવા કહ્યું હતું.
રમા એકાદશી વ્રતના ફળ સ્વરૂપે અપાર ધન પ્રાપ્ત થયું શોભને ચંદ્રભાગાની વાત ન સાંભળી અને રમા એકાદશીનું વ્રત કરવાનું નક્કી કર્યું. સવાર સુધીમાં શોભને જીવ ગુમાવ્યો હતો. પતિના મૃત્યુ પછી ચંદ્રભાગા પિતા સાથે રહીને પૂજા અને ઉપવાસ કરતી હતી. બીજી તરફ એકાદશી વ્રતની અસરથી શોભનને આગલા જન્મમાં દેવપુર શહેરનું રાજ્ય મળ્યું જ્યાં ધન અને ઐશ્વર્યની કોઈ કમી નહોતી. એકવાર રાજા મુચુકુંદના નગરના બ્રાહ્મણ સોમ શર્મા દેવપુર નજીકથી પસાર થતા હોય છો ત્યારે તેઓ શોભનને ઓળખી જાય છે. બ્રાહ્મણ પૂછે છે કે શોભનને આટલી બધી ઐશ્વર્ય કેવી રીતે મળી? ત્યારે શોભન તેમને જણાવે છે કે આ બધું રમા એકાદશીનું પરિણામ છે પરંતુ આ બધુ અસ્થિર છે
મા લક્ષ્મીની કૃપાથી પ્રાપ્ત થાય છે ઐશ્વર્ય શોભન બ્રાહ્મણને તેની સંપત્તિ સ્થિર કરવાનો માર્ગ પૂછે છે. આ પછી બ્રાહ્મણ શહેરમાં પાછો ફરે છે અને ચંદ્રભાગાને આખી વાર્તા સંભળાવે છે. ચંદ્રભાગાએ જણાવ્યું હતું કે તે છેલ્લા આઠ વર્ષથી એકાદશીનું વ્રત કરે છે, તેના પ્રભાવથી પતિ શોભનને પુણ્ય ફળ મળશે. આટલું કહી તે શોભન પાસે જાય છે. ચંદ્રભાગા તેના ઉપવાસનું પુણ્ય શોભનને સોંપે છે ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી દેવપુરનું ઐશ્વર્ય સ્થિર થાય છે અને બંને સુખેથી જીવે છે.
રમા એકાદશી પર શું કરશો રમા એકાદશીના દિવસે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને લક્ષ્મી-નારાયણની પૂજા કરો. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને મખાનાની ખીર અર્પણ કરો, તેમાં તુલસીના પાન અવશ્ય નાખો. રમા એકાદશીના દિવસે એકાક્ષી નાળિયેર ઘરે લાવીને તેની પૂજા કરવી ખૂબ જ શુભ છે. એવું માનવામાં આવે છે કે, આ ઉપાયથી દેવી લક્ષ્મીજી ઘરમાં વાસ કરે છે.