28 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે (6 ઓક્ટોબર) મા દુર્ગાની ચોથી શક્તિ કુષ્માંડાની પૂજાનો દિવસ છે. કુષ્માંડા ખૂબ જ સરળતાથી પ્રસન્ન થતી દેવી છે. આ સ્વરૂપમાં દેવીએ લાલ, પીળા અને લીલા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે, તેથી ભક્તોએ તેમની પૂજામાં લાલ, પીળા અથવા લીલા રંગના વસ્ત્રો પહેરવાં જોઈએ.
સવારે સ્નાન કર્યા પછી, દેવીની પૂજા કરવાનો સંકલ્પ લો અને આખો દિવસ વ્રત રાખો. પૂજા કરો અને દિવસભર ઉપવાસ રાખો. દેવીમંત્રોનો જાપ કરો. સાંજે ફરીથી દેવીની પૂજા કર્યા પછી ઉપવાસ છોડો. આપણા શરીરમાં સપ્ત (સાત) ચક્રો છે, આ સાત ચક્રોમાંથી અનાહત ચક્રમાં કુષ્માંડા દેવીનો વાસ છે.
કુષ્માંડા દેવીનું સ્વરૂપ
કુષ્માંડા દેવીની પૂજા કરવાની વિધિ
પૂજાનું મહત્ત્વ દેવી કૂષ્માંડા ભય દૂર કરે છે. જીવનમાં બધા પ્રકારના ભયથી મુક્ત થઈને સુખથી જીવન વિતાવવા માટે દેવી કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. દેવી કૂષ્માંડાની પૂજાથી આયુ, બળ, યશ અને સ્વાસ્થ્યમાં વધારો થાય છે. તેમની પૂજાથી દરેક પ્રકારના રોગ, શોક અને દોષ દૂર થઈ જાય છે. કોઈ પ્રકારનો કલેશ પણ નથી થતો. દેવી કૂષ્માંડાને કૂષ્માંડા અર્થાત્ કોળાની બલિ આપવામાં આવે છે. એની બલિથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જાય છે. કૂષ્માંડાની પૂજાથી સમૃદ્ધિ અને તેજ પ્રાપ્ત થાય છે. તેમની પૂજાથી જીવનમાં વ્યાપ્ત અંધકાર દૂર થાય છે.
સુરાસમ્પૂર્ણકલશં રુધિરાપ્લુતમેવ ચ । દધાનાહસ્તપદ્યાભ્યામ્ । કુષ્માંડા શુભદાસ્તુ મે।।
ઔષધિના રૂપમાં કોળુ દેવી કુષ્માંડાનું સ્વરૂપ છે