39 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિવાળી પહેલા આવતા પુષ્ય નક્ષત્રને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. જ્યારે ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે છે ત્યારે ખરીદી અને પૂજાની દૃષ્ટિએ તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે. જાણો આજે કયા કયા શુભ કાર્યો કરી શકાય છે…
ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, ગુરુ પુષ્ય નક્ષત્ર પર શંખ ખરીદવાની અને પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે દક્ષિણાવર્તી શંખની વિશેષ પૂજા કરવી જોઈએ. શંખના ત્રણ પ્રકાર છે. વામાવર્તી, દક્ષિણાવર્તી અને મધ્યવર્તી. આ ત્રણ શંખમાં દક્ષિણાવર્તી શંખ ખૂબ જ વિશેષ છે, તેને લક્ષ્મી પૂજામાં પણ રાખવો જોઈએ. મહાલક્ષ્મી અને વિષ્ણુને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ.