સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ડોમેસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટ રણજી ટ્રોફી 2024 શરૂ થઈ ગઈ છે. આ અંગે બોર્ડે ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ મેચ દરમિયાન બોલ પર લાળ લગાવનારા અને રિટાયર હર્ટ કરનારા ખેલાડીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.
ગુરુવારે સાંજે BCCIએ સ્ટેટ ટીમને આ અંગેની એક પ્રેસ રિલીઝ મોકલી હતી. જેમાં બદલાયેલા નિયમો વિશે માહિતી આપી હતી.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, આ નિયમ BCCIની તમામ ડોમેસ્ટિક મેચ માટે લાગુ થશે. આ નવો નિયમ તમામ મલ્ટી-ડે મેચ અને તમામ લિમિટેડ ઓવરની મેચ માટે પણ લાગુ થશે.
જો બેટર ઈજા વિના અધવચ્ચે જ રિટાયર્ડ થશે તો તેને આઉટ ગણવામાં આવશે નવા નિયમ મુજબ હવે ઈજા, બીમારી કે અસમર્થતા સિવાય અન્ય કોઈ કારણસર રિટાયર્ડ થનાર બેટરને આઉટ ગણાશે. વિરોધી કેપ્ટનની સંમતિથી પણ તેને ફરીથી બેટિંગ કરવાની તક નહીં મળે.
વિરોધી કેપ્ટનની સંમતિથી પણ બેટરને ફરીથી બેટિંગ કરવાની તક નહીં મળે.
બોલ પર સલાઇવા લગાવવા પર કડકતા નવા નિયમ અનુસાર, જો કોઈ બોલર અથવા ખેલાડી ફિલ્ડિંગ દરમિયાન બોલ પર સલાઇવા લગાવશે તો ફિલ્ડિંગ કરનાર ટીમને દંડ ફટકારવામાં આવશે અને બોલ તરત જ બદલવો પડશે. ખેલાડીઓને પણ ચેતવણી આપવામાં આવશે.
ઓવરથ્રોના રનને લઈને પણ નવા નિયમો BCCIએ રન રોકવાના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે. જો બેટ્સમેન રન બનાવ્યા પછી અટકી જાય અને ઓવરથ્રો કર્યા પછી બોલ એકબીજાને પાર કરતા પહેલા બાઉન્ડરી પાર કરે તો સ્કોરમાં માત્ર 4 રન ઉમેરાશે. અગાઉ, દોડતી વખતે બેટર્સે બનાવેલા રન અને ઓવરથ્રોથી બનેલા રન બેટર્સના ખાતામાં ઉમેરાતા હતા.