57 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને તેલંગાણા સરકારે DSP તરીકે નિયુક્ત કર્યો છે. શુક્રવારે તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (DGP)એ તેમને નિમણૂક પત્ર સોંપ્યો.
આ પહેલા બોક્સર નિખત ઝરીનને પણ DSP નિયુક્ત કરી હતી. નિખત બે વખતની વર્લ્ડ ચેમ્પિયન છે.
તેલંગાણા સરકારે DSPની નિમણૂક કરવાની જાહેરાત કરી હતી આ વર્ષે ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા પછી, તેલંગાણાના CMએ રિવંત રેડ્ડીએ અધિકારીઓને સિરાજને સરકારી નોકરી આપવા અને પ્લોટ ફાળવવાનો આદેશ આપ્યો હતો.
ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ તેલંગાણા સરકારે મોહમ્મદ સિરાજને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી હતી.
T-20 વર્લ્ડ કપ 2024માં ત્રણ મેચ રમી હતી મોહમ્મદ સિરાજે 2024 T20 વર્લ્ડ કપમાં ભારત માટે ત્રણ મેચ રમી હતી. આયર્લેન્ડ સામેની મેચમાં તેને માત્ર 1 વિકેટ મળી હતી. USA સામેની મેચમાં તેણે 25 રન અને પાકિસ્તાન સામે 19 રન આપ્યા હતા.
સિરાજને બાંગ્લાદેશ સામેની T20 મેચમાં આરામ આપ્યો છે સિરાજને બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની T20 સિરીઝમાંથી આરામ આપ્યો હતો. સિરીઝની અંતિમ મેચ શનિવારે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. તેમની જગ્યાએ મયંક યાદવ અને હર્ષિતા રાણાને ટીમમાં સ્થાન આપ્યું છે. જ્યારે સિરાજે બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝમાં 4 વિકેટ લીધી હતી.
મોહમ્મદ સિરાજની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 30 વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ભારત માટે અત્યાર સુધીમાં 28 ટેસ્ટ, 44 વનડે અને 16 ટી-20 મેચ રમી છે. સિરાજના નામે ટેસ્ટમાં 76, વનડેમાં 71 અને ટી-20માં 14 વિકેટ છે. તેણે IPLમાં રમાયેલી 93 મેચમાં 93 વિકેટ લીધી છે.
આમાં રન એટલે તેણે કુલ કેટલા રન આપ્યા છે, તેનો આંકડો છે.
ન્યૂઝીલેન્ડ સામેની હોમ સિરીઝમાં સ્થાન આપ્યું મોહમ્મદ સિરાજને શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની હોમ સિરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. તે જસપ્રીત બુમરાહ, આકાશ દીપ સાથે ટીમ ઈન્ડિયાના પેસ આક્રમણને સંભાળશે.