કોલકાતા11 મિનિટ પેહલા
- કૉપી લિંક
પૂર્વ ભારતીય ક્રિકેટર ઝહીર ખાન IPL ફ્રેન્ચાઇઝી લખનઉ સુપર જાયન્ટ્સ (LSG)નો મેન્ટર બનવા જઈ રહ્યો છે. તેને બોલિંગ કોચની જવાબદારી પણ સોંપવામાં આવી શકે છે. ફ્રેન્ચાઇઝી બુધવારે ઝહીરની મેન્ટર તરીકે નિમણૂકની જાહેરાત કરવા જઇ રહી છે. ફ્રેન્ચાઇઝી હેડ ઓફિસ ખાતે તૈયારીઓ કરવામાં આવી છે.
ગત સિઝન પહેલા ગૌતમ ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સમાં જોડાયા બાદ LSG મેન્ટરનું પદ ખાલી છે અને હવે બોલિંગ કોચ મોર્ને મોર્કેલ પણ ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે. આવી સ્થિતિમાં ઝહીર બંને ભૂમિકા ભજવી શકે છે. ઝહીર 2018 થી 2022 સુધી મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો ક્રિકેટ ડિરેક્ટર રહ્યો છે. તેઓ ગ્લોબલ ક્રિકેટ ડેવલપમેન્ટ પ્રોગ્રામના વડા પણ રહી ચૂક્યો છે.
એક ખેલાડી તરીકે ઝહીરને IPLની 100 મેચનો અનુભવ છે. તેણે દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોગ (હવે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ) અને મુંબઈ ઈન્ડિયન્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે તેની છેલ્લી IPL મેચ 2017માં રમી હતી.

શા માટે ઝહીર માટે 2 ઈન 1 રોલ?
- LSGમાં બોલિંગ કોચનું પદ પણ ખાલી છે. આવી સ્થિતિમાં ટીમના ઝડપી બોલરોને ઝહીર ખાનના અનુભવનો લાભ મળશે.
- ઝહીર મુંબઈ ઈન્ડિયન્સના ક્રિકેટ ડિરેક્ટર રહી ચૂક્યા છે. આવી સ્થિતિમાં, મેનેજમેન્ટ તેના અનુભવનો લાભ લેવા માંગે છે.
- ઝહીર LSGના ટેલેન્ટ સ્કાઉટિંગ અને પ્લેયર્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં ભૂમિકા ભજવી શકે છે. તે જાળવી રાખવા અને ઓક્શનમાં મહત્વની ભૂમિકા ભજવશે.
ઝહીર લેંગર, ક્લુઝનર સાથે કામ કરશે
હાલમાં, લખનઉમાં હેડકોચ જસ્ટિન લેંગર અને આસિસ્ટન્ટ કોચ લાન્સ ક્લુઝનર અને એડમ વોજીસ છે. હવે ઝહીર ખાન પણ આ ફ્રેન્ચાઈઝી સાથે જોડાશે.
ઝહીર પાસે ઈન્ટરનેશનલ અને IPLમાં રમવાનો અનુભવ
ઝહીર ખાને ભારત માટે 92 ટેસ્ટ, 200 ODI અને 17 T20 મેચ રમી છે. તેના નામે 311 ટેસ્ટ, 282 ODI અને 17 T-20 વિકેટ છે.