1 કલાક પેહલા
- કૉપી લિંક
PM નરેન્દ્ર મોદીની પોસ્ટ પર રોહિત શર્માની પ્રતિક્રિયા: ‘હિટમેન’ રોહિત શર્માની આગેવાની હેઠળ, ભારતીય ટીમે ક્રિકેટમાં પોતાની ઓળખ બનાવી અને T20 વર્લ્ડ કપ 2024 જીત્યો. આ રીતે ટીમ ઈન્ડિયાએ ક્રિકેટ ઈતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ દેશવાસીઓ ઉત્સાહિત થઈ ગયા, કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના ખૂણે ખૂણે ઉજવણી થઈ.
ભારતીય ક્રિકેટ ટીમની આ ઐતિહાસિક જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોહિત શર્મા, વિરાટ કોહલી અને મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાન રોહિતની કેપ્ટનશીપ પર પીએમ મોદી ખુશ દેખાતા હતા, હવે રોહિતે પીએમ મોદીની પોસ્ટ પર દિલ સ્પર્શી જવાબ આપ્યો.
X પર પોસ્ટ શેર કરતી વખતે પીએમ મોદીએ લખ્યું હતું – પ્રિય રોહિત, તમે શ્રેષ્ઠતાના પ્રતિક છો. તમારી આક્રમક માનસિકતા, બેટિંગ અને કેપ્ટનશિપે ભારતીય ટીમને એક નવો આયામ આપ્યો છે. તમારી T20 કારકિર્દી હંમેશા યાદ રહેશે. આજે સવારે તમારી સાથે વાત કરીને આનંદ થયો.
પીએમ મોદીની આ પોસ્ટ પર રોહિત શર્માએ પણ પ્રતિક્રિયા આપી હતી. રોહિતે લખ્યું- નરેન્દ્ર મોદી સર… તમારા શબ્દો માટે ખૂબ ખૂબ આભાર. ટીમને અને મને કપ ભારતમાં લાવીને ખૂબ ગર્વ છે. અમે ખરેખર ખૂબ જ ખુશ છીએ કે આ જીતથી દેશવાસીઓને કેટલી ખુશી મળી છે.