મુંબઈ41 મિનિટ પેહલા
- કૉપી લિંક
BCCI સેક્રેટરીએ કહ્યું કે, WTC ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમાશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહે કહ્યું છે કે, T-20 વર્લ્ડ કપ પછી અમે રોહિતની કેપ્ટન્સીમાં 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઇનલ જીતીશું.
શાહે ટી-20 વર્લ્ડ કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતો એક વીડિયો જાહેર કર્યો હતો. એમણે કહ્યું કે,
“મેં રાજકોટમાં કહ્યું હતું કે, જૂન 2024માં અમે કપની સાથે સાથે દિલ પણ જીતીશું. અમે ભારતીય ધ્વજ પણ લહેરાવીશું અને અમારા કેપ્ટને ધ્વજ ફરકાવ્યો. આ જીતમાં છેલ્લી પાંચ ઓવરનો મોટો ફાળો હતો. આ યોગદાન માટે હું સૂર્યકુમાર યાદવ,જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાનો આભાર માનવા માંગુ છું. આ જીત પછી, આગામી સ્ટેજ WTC ફાઈનલ અને ચેમ્પિયન્સ ટ્રોફી છે. મને વિશ્વાસ છે કે રોહિત શર્માની કેપ્ટન્સીમાં અમે ચેમ્પિયન બનીશું. આ બંને ટુર્નામેન્ટમાં.”
શાહે T20 વર્લ્ડ કપની જીત દ્રવિડ, રોહિત, કોહલી અને જાડેજાને સમર્પિત કરી
શાહે કહ્યું કે, હું T20 વર્લ્ડ કપની જીત કોચ રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને સમર્પિત કરવા માગુ છું. છેલ્લા એક વર્ષમાં આ અમારી ત્રીજી ફાઈનલ હતી. જૂન 2023માં અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયા હતા. નવેમ્બર 2023માં દસ જીત બાદ અમે દિલ જીતી લીધું, પણ કપ જીતી શક્યા નહીં.
ભારતે 17 વર્ષ બાદ T20 વર્લ્ડ કપ જીત્યો.
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાશે અને ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડમાં
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાનમાં રમાવાની છે. ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચ 19 ફેબ્રુઆરી 2025ના રોજ રમાશે. ફાઈનલ મેચ 9 માર્ચે યોજાશે. તે જ સમયે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025ની ફાઇનલ જૂનમાં લંડનના લોર્ડ્સમાં રમાશે.
ભારતે બીજી વખત T-20 વર્લ્ડ કપ જીત્યો
ભારતે આ વખતે બીજી વખત T-20 વર્લ્ડ કપ જીત્યો. આ પહેલા ભારતે 2007માં T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. 17 વર્ષ પહેલા જ્યારે ટીમ ઈન્ડિયાએ T-20 વર્લ્ડ કપ જીત્યો ત્યારે મહેન્દ્ર સિંહ ધોની તેના કેપ્ટન હતા. ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની કેપ્ટન્સીમાં 2024માં T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ સાથે જ ભારતે છેલ્લે 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો.