સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલા
- કૉપી લિંક
શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેની નવી પસંદગી સમિતિની રચના કરી છે. ભૂતપૂર્વ ઓપનર ઉપુલ થરંગા મુખ્ય પસંદગીકાર હશે, જ્યારે અજંથા મેડિન્સ સહિત 4 ભૂતપૂર્વ ખેલાડીઓ પણ સમિતિમાં ચૂંટાયા છે. ભૂતપૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા એક વર્ષ માટે બોર્ડના નવા સલાહકાર રહેશે.
જયસૂર્યા એક વર્ષ માટે સલાહકાર રહેશે
સનથ જયસૂર્યા એક વર્ષ માટે શ્રીલંકા ક્રિકેટના મુખ્ય સલાહકાર રહેશે. તે કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓના કામ પર નજર રાખશે. આ ઉપરાંત, તે ઘરેલુ ક્રિકેટના વિકાસ પર પણ ધ્યાન આપશે અને ટીમની જરૂરિયાતો, કોચિંગ સ્ટાફ અને તાલીમ માટે પણ જવાબદાર રહેશે. જયસૂર્યા શ્રીલંકાની એથલીટ મેનેજમેન્ટ સિસ્ટમ અને ખેલાડીઓના કૌશલ્ય વિકાસ માટે પણ જવાબદાર રહેશે.
નવી પસંદગી સમિતિ 2 વર્ષ માટે રહેશે
શ્રીલંકા ક્રિકેટે પણ 2 વર્ષ માટે નવી પસંદગી સમિતિની રચના કરી છે. ઉપુલ થરંગા સમિતિના અધ્યક્ષ રહેશે. જ્યારે અજંતા મેન્ડિસ, ઈન્ડિકા ડી સરમ, થરંગા પરનાવિતાના અને દિલરુવાન પરેરા સમિતિના સભ્યો હશે.
નવી પસંદગી સમિતિનું પહેલું કામ ઝિમ્બાબ્વે સામે ઘરઆંગણે રમાનારી વન-ડે અને ટી-20 શ્રેણી માટે ટીમની પસંદગી કરવાનું રહેશે. સમિતિનું પહેલું મોટું કામ T20 વર્લ્ડ કપમાં શ્રેષ્ઠ ટીમની પસંદગી કરવાનું રહેશે.
શ્રીલંકા બોર્ડ ICC પ્રતિબંધનો સામનો કરી રહ્યું છે
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શ્રીલંકાની સરકારના હસ્તક્ષેપને કારણે ICCએ આ નિર્ણય લીધો હતો. શ્રીલંકા પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી પરંતુ ICCએ તેમની પાસેથી અંડર-19 મેન્સ વર્લ્ડ કપની યજમાની છીનવી લીધી છે. હવે વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી રમાશે.
વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું
ઓડીઆઈ વર્લ્ડ કપમાં પણ શ્રીલંકાની ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમ 9 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે પણ તેને હારનો સામનો કરવો પડ્યો. ટીમ માત્ર નેધરલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે જ જીતી શકી હતી.
શ્રીલંકા ક્રિકેટ ટીમ 6થી 18 જાન્યુઆરી 2024 દરમિયાન ઝિમ્બાબ્વે સામે 3 ODI અને 3 T20 સિરીઝ રમશે.