સ્પોર્ટ્સ ડેસ્ક8 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં હાર બાદ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS)માંથી અમ્પાયર્સ કોલને હટાવવાની માગ કરી છે. ત્રીજી ટેસ્ટના બીજા દાવમાં જેક ક્રોલીને LBW આઉટ કરવાના નિર્ણયથી સ્ટોક્સ નિરાશ થયો હતો. આ કારણોસર તેણે DRS નિયમમાં ફેરફારની માગ કરી છે.
ભારતીય ટીમે રાજકોટમાં રમાયેલી આ મેચમાં રેકોર્ડ 434 રનથી જીત મેળવી હતી અને 5 મેચની શ્રેણીમાં 2-1ની લીડ મેળવી હતી. ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે.
મને લાગે છે કે અમ્પાયર્સ કોલ દૂર કરવો જોઈએઃ સ્ટોક્સ
મેચ બાદ સ્ટોક્સ અને ઇંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેક્કુલમ મેચ રેફરી જેફ ક્રો સાથે વાત કરતા જોવા મળ્યા હતા. સ્ટોક્સે કહ્યું, ‘રિપ્લેમાં બોલ સ્પષ્ટ રીતે સ્ટમ્પની બહાર જતો હતો. આવી સ્થિતિમાં, જ્યારે અમ્પાયર્સ કોલનો નિર્ણય આવ્યો, ત્યારે અમને થોડું આશ્ચર્ય થયું. તેથી અમે હોક-આઇના લોકો પાસેથી સ્પષ્ટતા ઇચ્છતા હતા. આના પર રેફરીએ કહ્યું કે નંબરો અનુસાર બોલ સ્ટમ્પ પર અથડાશે તે નિશ્ચિત હતું, પરંતુ પ્રોજેક્શન ખોટું હતું. મને ખબર નથી કે તેનો અર્થ શું છે. એવું નથી કે હું આ માટે કોઈને દોષી ઠેરવી રહ્યો છું. મને ખબર નથી કે શું ચાલી રહ્યું છે?’
સ્ટોક્સે આગળ કહ્યું, ‘મને લાગે છે કે અમ્પાયરના કોલના નિર્ણયને હટાવી દેવો જોઈએ. જો બોલ સ્ટમ્પને અથડાવે તો તેને આઉટ આપવો જોઈએ.
ક્રોલી 11 રન બનાવીને આઉટ થયો હતો
રાજકોટ ટેસ્ટમાં ઇંગ્લેન્ડનો ઓપનર જેક ક્રોલી LBW થયો હતો. જસપ્રીત બુમરાહે તેને 9મી ઓવરના બીજા બોલ પર પેવેલિયન મોકલી દીધો હતો. ક્રોલી 26 બોલમાં 11 રન બનાવી શક્યો હતો.
ક્રોલી જ્યારે માત્ર 11 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે બુમરાહએ LBW માટે જોરદાર અપીલ જોવા મળી હતી. ફિલ્ડ અમ્પાયર કુમાર ધર્મસેનાએ ક્રોલીને આઉટ જાહેર કર્યો હતો. આ પછી ઇંગ્લિશ ઓપનરે DRS લીધું, બોલ ટ્રેકિંગ દરમિયાન બોલ લેગ સ્ટમ્પને અડતો જોવા મળ્યો. આ પછી, અમ્પાયર્સ કોલને કારણે, તેને પેવેલિયન પરત ફરવું પડ્યું, જેના કારણે તે ખૂબ જ ગુસ્સામાં દેખાઈ રહ્યો હતો.
જસપ્રીત બુમરાહ જેક ક્રોલીની વિકેટ લીધા બાદ જશ્ન મનાવતો હતો.
ઇંગ્લેન્ડની ટીમ ચોથી ઇનિંગમાં 122 રન જ બનાવી શકી
ટીમ ઈન્ડિયાએ રવિવારે રાજકોટ ટેસ્ટમાં રેકોર્ડ 434 રનથી જીત મેળવી હતી. મેચના ચોથા દિવસે 557 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ ચોથી ઇનિંગમાં માત્ર 122 રન જ બનાવી શકી હતી.
રનના માર્જિનથી ટીમ ઈન્ડિયાની આ સૌથી મોટી જીત હતી. આ પહેલા 2021માં મુંબઈના વાનખેડે મેદાન પર ટીમે ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું હતું.
નિરંજન શાહ સ્ટેડિયમમાં પ્રથમ દાવમાં ભારતે 445 રન અને ઇંગ્લેન્ડે 319 રન બનાવ્યા હતા. ભારતે બીજો દાવ 430/4 પર ડિકલેર કર્યો હતો.