39 મિનિટ પેહલા
- કૉપી લિંક
અરબાઝ ખાને એક ઈન્ટરવ્યુમાં નેપોટિઝમ પર ખુલીને વાત કરી હતી. તેણે કહ્યું કે, ‘જો તમારા પિતા કોઈ વ્યવસાયમાં હોય તો તેનાથી તમારા માટે દરવાજા હુલી જાય છે. પરંતુ તમને સફળતા નથી મળી જતી, બોલિવૂડમાં કનેક્શન ધરાવતા પરિવારમાંથી આવતા લોકોને પણ સંઘર્ષ કરવો પડે છે’.
જો તમારા પિતા ડૉક્ટર અથવા વકીલ છે, તો તમે અન્યોની સરખામણીમાં તે ક્ષેત્રમાં વધુ એક્સપોઝર ધરાવતા હશો. તેવી જ રીતે, જો તમારા પિતા ઇન્ડસ્ટ્રીનો ભાગ છે, તો ચોક્કસપણે કોઈને મળવું સરળ બની જાય છે. કારણ કે અમારા પિતા બોલિવૂડમાં લેખક રહી ચૂક્યા છે. પરંતુ તમને કામ મળશે તેની ખાતરી નથી હોતી.
25 વર્ષની કારકિર્દીમાં સફળતાની ખાતરી કોઈ આપી શકે નહીં – અરબાઝ ખાન
એક ઈન્ટરવ્યુ દરમિયાન અરબાઝે કહ્યું કે, ‘બોલિવૂડનું કોઈ કનેક્શન તમને સફળતાની ખાતરી આપી શકે નહીં. હા, આ ચોક્કસપણે તમને બ્રેક આપી શકે છે. પરંતુ 25 વર્ષની કારકિર્દી સફળતાની ખાતરી આપી શકતી નથી’. તેણે કહ્યું, ‘હું અને મારો ભાઈ સોહેલ ખાન બોલિવૂડના સુપરસ્ટાર કે અમારા ભાઈ સલમાન જેટલા સફળ નથી. પરંતુ અમે આજે પણ અહીં છીએ, અને કામ કરી રહ્યા છીએ. અહીં કોઈ કોઈની તરફેણ કરતું નથી, તમે કોણ છો અથવા બોલિવૂડમાં કોઈ મોટા માણસ સાથે તમારો કેવો સંબંધ છે તેનાથી કોઈ ફરક પડતો નથી, જો દર્શકો તમને જોવા ન માંગતા હોય તો કોઈ તમને કામ નહીં આપે’.
અરબાઝે કહ્યું કે એ કહેવું ખોટું હશે કે જો કોઈ અભિનેતા સફળ થાય છે તો તેનું કારણ તેના કનેક્શન્સ અથવા નેપોટિઝમ છે. પોતાની વાતને આગળ વધારતા અરબાઝે કહ્યું કે, ‘સુપરસ્ટાર પણ ખરાબ સમયમાંથી પસાર થાય છે. ઘણી વખત તેની 10 ફિલ્મો ફ્લોપ થઈ જાય છે અને તેને ખબર નથી પડતી કે શું કરવું’.
અરબાઝે એવી સેલિબ્રિટી વિશે વાત કરી કે જેમને તેમના માતા-પિતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સ્ટાર હોવા છતાં સફળતા કે સ્ટારડમ નથી મળ્યા. જ્યારે પૂછવામાં આવ્યું કે ખાન પરિવારની આગામી પેઢી – અરહાન અને નિર્વાણ ખાને તેમની કારકિર્દીમાં શું કરવું જોઈએ અને શું તેઓ તેમના પિતા અને કાકાના પગલે ચાલશે, અરબાઝે કહ્યું, ‘તેઓ બંને અત્યારે તૈયાર થઇ રહ્યા છે. અરહાન અરબાઝ અને તેની પ્રથમ પત્ની મલાઈકા અરોરાનો પુત્ર છે, જ્યારે નિર્વાણ સોહેલ અને તેની પત્ની સીમા સજદેહનો પુત્ર છે’.