- Gujarati News
- National
- Having Lost His Limbs At The Age Of 11 Months, In 2013 The State Government Appointed The Commissioner
4 કલાક પેહલા
- કૉપી લિંક
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુવારે પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કર્યા. તેમણે કુલ 132 લોકોનું સન્માન કર્યું હતું. જેમાં દિવ્યાંગ સામાજિક કાર્યકર ડો.કે.એસ.રાજન્ના પણ સામેલ હતા. જ્યારે તેઓ પોતાનો એવોર્ડ લેવા ગયા તો બધા તેમની સામે જોઈ રહ્યા. ડો.રાજન્નાએ સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવ્યા. આ પછી, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પાસેથી સન્માન મેળવ્યું. પોલિયોના કારણે, ડૉ. રાજન્નાને 11 મહિનાની ઉંમરે તેમના હાથ અને પગ ગુમાવવા પડ્યા. ત્યારથી લઈ 2013 માં, સરકારે તેમને દિવ્યાંગ માટે રાજ્ય કમિશનર બનાવ્યા ત્યાં સુધીની સફર ઘણી પ્રોત્સાહિત કરનારી છે.