નવી દિલ્હી47 મિનિટ પેહલા
- કૉપી લિંક
અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝના બોર્ડે આજે એટલે કે 28 મેના રોજ ₹16,600 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે. બોર્ડે કંપનીને ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (QIP) અથવા અન્ય કોઈપણ માધ્યમથી ભંડોળ ઊભું કરવાની મંજૂરી આપી છે.
અદાણી એન્ટરપ્રાઇઝે તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ અંગેની માહિતી આપી હતી. જો કે, બોર્ડ તરફથી મંજૂરી મળ્યા બાદ હવે કંપનીએ 24 જૂને યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં શેરધારકો પાસેથી મંજૂરી લેવી પડશે.
અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 6 મહિનામાં 35.71%નો વધારો
આજે અદાણી એન્ટરપ્રાઈઝનો શેર 6.05 પોઈન્ટના ઘટાડા સાથે 3,283ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. શેરે છેલ્લા 5 દિવસમાં 5.70% અને એક મહિનામાં 6.74% નું સકારાત્મક વળતર આપ્યું છે. તેમજ, તેના શેરમાં 6 મહિનામાં 35.71% અને એક વર્ષમાં 29.79% નો વધારો જોવા મળ્યો છે.
અદાણી એન્ટરપ્રાઈઝની સ્થાપના 1988માં થઈ હતી
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એ અદાણી ગ્રુપ ઓફ કંપનીઓનો એક ભાગ છે. ગૌતમ અદાણીએ 1988માં એન્ટરપ્રાઇઝની સ્થાપના કરી હતી. કંપનીના ચેરમેન ગૌતમ અદાણી છે, મેનેજિંગ ડિરેક્ટર રાજેશ અદાણી છે અને CEO વિનય પ્રકાશ છે.
કંપની એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કામ કરે છે. અદાણી એન્ટરપ્રાઇઝ એ દેશની સૌથી મોટી બિઝનેસ ઇન્ક્યુબેટર છે. આ કંપની એનર્જી અને યુટિલિટી, ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ, કન્ઝ્યુમર ગુડ્સ અને પ્રાથમિક ઉદ્યોગના ક્ષેત્રોમાં કામ કરે છે.