નવી દિલ્હી8 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં જ એર ઈન્ડિયા એક્સપ્રેસે 15 મહિનામાં વધુ 50 વિમાન ખરીદવાની વાત કરી હતી.
ટાટા ગ્રૂપની એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસે 25 ક્રૂ મેમ્બર્સને કાઢી મૂક્યા છે. 7મી મેની રાત્રે નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ અચાનક એકસાથે રજા પર ઉતરી ગયા હતા. જેના કારણે એરલાઈને વધુ 90 ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી.
એરલાઈનના CEO આલોક સિંહે કહ્યું કે આજે અને આવનારા દિવસોમાં ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી શકે છે. કંપની તેની ફ્લાઈટમાં પણ ઘટાડો કરશે.
200 સીનિયર ક્રૂ મેમ્બર્સ એકસાથે રજા પર ઉતરી ગયા હતા, કહ્યું- બીમાર છે મંગળવારે અચાનક એર ઈન્ડિયા એક્સપ્રેસના 200 થી વધુ સીનિયર ક્રૂ મેમ્બર એકસાથે રજા પર ઉતરી ગયા હતા. જેના કારણે કંપનીએ મંગળવારની રાત અને બુધવારે તેની 90થી વધુ ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી હતી. તેમણે બીમારીનું કારણ જણાવી રજા લીધી છે.
એક સાથે રજા રાખવાનું કારણ… ગેરવહીવટ
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર કેબિન ક્રૂ મેમ્બર્સ ગેરવહીવટ સામે વિરોધ કરી રહ્યા છે. બુધવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલયે આ મામલે એરલાઈન પાસેથી રિપોર્ટ માંગ્યો છે. ઉડ્ડયન મંત્રાલયે એરલાઈનને આ મામલાને ઝડપથી ઉકેલવા જણાવ્યું છે.
લેબર કમિશનરે કહ્યું- ફરિયાદ સાચી છે, HR વિભાગે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યા
એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચેનો વિવાદ વધ્યો તેના લગભગ એક અઠવાડિયા પહેલા, પ્રાદેશિક શ્રમ કમિશનરે એરલાઈનને પત્ર લખ્યો હતો – જણાવ્યું હતું કે ફરિયાદો સાચી છે અને HR વિભાગે સમાધાન અધિકારીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
એરલાઇનસે કહ્યું- મુસાફરોને સંપૂર્ણ રિફંડ મળશે
ફ્લાઈટ કેન્સલ થયા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ કહ્યું કે અમારા કેબિન ક્રૂએ મંગળવારે રાત્રે અચાનક બીમાર પડવાની જાણ કરી હતી, જેના પછી કેટલીક ફ્લાઈટ્સ મોડી થઈ છે અને કેટલીક કેન્સલ કરવામાં આવી છે. અમે ક્રૂ સાથે વાત કરી રહ્યા છીએ જેથી મુસાફરોને પડતી અસુવિધા ઘટાડી શકાય.
એરલાઈને જણાવ્યું હતું કે ફ્લાઈટ્સ કેન્સલ થવાથી અસરગ્રસ્ત મુસાફરોને એરલાઈન તરફથી સંપૂર્ણ રિફંડ મળશે અથવા તેઓ કોઈપણ વધારાના ચાર્જ વિના તેમની ફ્લાઈટ રી-શિડ્યૂલ કરી શકશે. વધુમાં, પ્રવક્તાએ બુધવારે એરલાઇન સાથે ઉડતા મુસાફરોને સલાહ આપી હતી કે તેઓ એરપોર્ટ પર પહોંચતા પહેલા એરલાઇનનો સંપર્ક કરે જેથી તેઓ તેમની ફ્લાઇટની કનફર્મ કરી શકે.
મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે વિવાદ કેમ વધ્યો?
- ન્યૂઝ એજન્સી PTIના અહેવાલ મુજબ, કેટલાક કેબિન ક્રૂ મેમ્બર્સ સ્ટાફ સાથે ગેરવહીવટ અને ભેદભાવપૂર્ણ વર્તનનો વિરોધ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે AIX કનેક્ટ સાથે એર ઈન્ડિયા એક્સપ્રેસના મર્જરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી કેબિન ક્રૂમાં અસંતોષ વધી રહ્યો છે.
- ડિસેમ્બર 2022માં, એરએશિયા ઇન્ડિયાના સમગ્ર શેર ટાટા સન્સ દ્વારા ખરીદવામાં આવ્યા હતા. ત્યારબાદ, એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ થતાં પહેલા એરલાઈનનું નામ બદલીને AIX કનેક્ટ રાખવામાં આવ્યું. એરએશિયા ઇન્ડિયા બ્રાન્ડ 31 ઓક્ટોબર 2023 ના રોજ બંધ થઈ હતી અને એરલાઇન હવે એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
- તેના એરલાઇન બિઝનેસને મજબૂત કરવા માટે, ટાટા ગ્રુપ એર ઇન્ડિયા એક્સપ્રેસ અને AIX કનેક્ટ તેમજ વિસ્તારાને એર ઇન્ડિયા સાથે મર્જ કરી રહ્યું છે.
- વેતમ સમાનતા લાવવું અને વિવિધ સંસ્થાકીય સંસ્કૃતિના કર્મચારીઓને જોડવા એ કંપની માટે સૌથી મોટો પડકાર છે.
એરલાઇન પરિવર્તનના સમયમાંથી પસાર થઈ રહી છે
એર ઈન્ડિયા પછી, ટાટા ગ્રુપે હાલમાં તેની બજેટ એરલાઈન એર ઈન્ડિયા એક્સપ્રેસનો નવો લુક બતાવ્યો છે. એરક્રાફ્ટના પાછળના ભાગની ડિઝાઈન એટલે કે પૂંછડી પેરેન્ટ કંપની એર ઈન્ડિયા અને બાંધણી આર્ટથી પ્રેરિત છે. આ ફેરફાર કંપનીના ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામનો એક ભાગ છે.
એર ઈન્ડિયા એક્સપ્રેસના નવા એરક્રાફ્ટનું મુંબઈ એરપોર્ટ પર અનાવરણ કરવામાં આવ્યું હતું. એરક્રાફ્ટમાં એક્સપ્રેસ ઓરેન્જ અને એક્સપ્રેસ પીરોજ કલર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય એરક્રાફ્ટમાં સેકન્ડરી કલર્સ તરીકે ટેન્જેરીન અને આઈસ બ્લુનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મુંબઈમાં હેંગર ખાતે એર ઈન્ડિયા એક્સપ્રેસનું તદ્દન નવું અને પ્રથમ B737 મેક્સ એરક્રાફ્ટ.
15 મહિનામાં વધુ 50 એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી
એરલાઇન આગામી 15 મહિનામાં કાફલામાં 50 વિમાન સામેલ કરવાની તૈયારી કરી રહી છે. આનાથી તેના કાફલાનું કદ બમણું કરશે. આગામી 5 વર્ષ દરમિયાન લગભગ 170 નેરો-બોડી વિમાનને કાફલામાં સામેલ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
ટાટા ગ્રૂપની વિસ્તારાએ ગયા મહિને 110 ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી
ટાટા ગ્રૂપની અન્ય એરલાઇન વિસ્તારાએ ગયા મહિને 110 ફ્લાઇટ્સ રદ કરી હતી. તેમજ, 160 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. કંપનીના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘વિસ્તારા હાલમાં પાઇલટ્સની અછતનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં ફ્લાઈટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યાં સુધી પાયલોટની અછતનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી માત્ર મર્યાદિત ફ્લાઈટ્સ જ ચલાવવામાં આવશે. રદ્દ થયેલી ફ્લાઇટના મુસાફરોને રિફંડ પણ આપશે.
આ પણ વાંચો…
ફ્લાઇટમાં નોંધપાત્ર વિલંબના કિસ્સામાં મુસાફરો બહાર નીકળી શકશે: ગાઈડલાઈનમાં સમયનો ઉલ્લેખ નથી; નિર્ણય એરલાઇન્સ અને એરપોર્ટ સુરક્ષા પર છોડી દીધો
જો બોર્ડિંગ બાદ ફ્લાઇટમાં લાંબો વિલંબ થાય છે, તો હવે મુસાફરોએ પ્લેનમાં બેસીને વધુ રાહ જોવી નહીં પડે. તેઓ ફ્લાઇટમાંથી ઉતરી શકે છે. એરલાઇન કંપનીઓને હવે તેમના મુસાફરોને એરપોર્ટના એક્ઝિટ ગેટ અથવા ડિપાર્ચર ગેટની બહાર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે.
બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS), એવિએશન સેફ્ટી પર દેખરેખ રાખતી સંસ્થાએ 30 માર્ચે એક ગાઈડલાઈન બહાર પાડી હતી, જે હવે અમલમાં આવી છે.