લંડન5 કલાક પેહલા
- કૉપી લિંક
યુરોપિયન યુનિયન દ્વારા સપ્ટેમ્બર 2020 અને એપ્રિલ 2024 દરમિયાન યુરોપિયન યુનિયનના ફૂડ સેફ્ટિ વિભાગના પરીક્ષણમાં ભારતના 527 ખાદ્ય પદાર્થોમાં કેન્સરજન્ય કેમિકલ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ ખાદ્ય પદાર્થોમાં વિવિધ પ્રકારના મસાલા, ડાયટ ફૂડ તથા અન્ય ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે.
ભારતના ખાદ્ય પદાર્થોમાં ઇથેલીન ઓક્સાઇડનું પ્રમાણ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેમિકલની ઉપસ્થિતિના કારણે હોંગકોંગ અને સિંગાપોરમાં ભારતીય પ્રૉડક્ટ્સ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. યુરોપિયન યુનિયનના ફૂડ સેફ્ટિ વિભાગે જે ખાદ્ય પદાર્થોમાં કેન્સરજન્ય તત્વ હોવાનું જણાવ્યું હતું એમાં 313 પ્રકારના તલ, 60 પ્રકારના મસાલા, 48 પ્રકારના ડાયાબેટીક ફૂડ તથા 34 અન્ય પ્રકારના ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. હાનિકારક તત્વોની ઉપસ્થિતિના કારણે યુરોપિયન યુનિયન દ્વારા 87 કન્સાઇન્મેન્ટ રીજેક્ટ કરવામાં આવ્યા હતા.