નવી દિલ્હી4 કલાક પેહલા
- કૉપી લિંક
- મેટા દ્વારા જારી કરાયેલા રિપોર્ટ વર્ષ 2024માં ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ ટૉક રિપોર્ટનું તારણ
વર્ષ 2023 પૂર્ણ થવામાં હવે કેટલાક દિવસ જ વધ્યા છે. વર્ષ 2024 માટે લગભગ દરેક વ્યક્તિએ પોતાની પ્રાથમિકતા નક્કી કરી લીધી છે. નવા વર્ષ માટે જેન-ઝેડના વલણો પર મેટાના તાજેતરના રિપોર્ટ “જેન-ઝેડ 2024માં સંસ્કૃતિને કેવી રીતે પ્રભાવિત કરશે”થી જાણવા મળે છે કે જીવન અને કારકિર્દી સંબંધિત સલાહ આપતા કન્ટેન્ટમાં વધારો જોવા મળી શકે છે.
મેટા દ્વારા જારી રિપોર્ટનું શીર્ષક 2024 ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડ ટૉક રિપોર્ટ છે. અમેરિકા, બ્રાઝિલ, બ્રિટન, ભારત અને દક્ષિણ કોરિયાના જેન-ઝેડ વચ્ચે કરાયેલા આ સરવેમાં કામકાજ, રિલેશનશિપ, ફેશન, બ્યૂટી, ફૂડ અને સોશિયલ મીડિયા જેવી વસ્તુઓ પર પ્રાથમિકતા જાણવામાં આવી હતી. જેન-ઝેડ જેને ઝૂમર્સ પણ કહેવામાં આવે છે, 1996 થી 2010ની વચ્ચે જન્મેલી પેઢી છે. તેને ઇન્સ્ટાગ્રામ જનરેશન પણ કહેવામાં આવે છે. ડિજિટલ યુગનો આ યુવાવર્ગ પુસ્તકોને બદલે મોટા ભાગનો સમય સ્માર્ટફોન પર વિતાવે છે. તેઓ નવા ટ્રેન્ડને લઇને એલર્ટ રહે છે.
આ રિપોર્ટ અનુસાર, ભારતીય જેન-ઝેડે ફૂડ, બ્યૂટી અને ફેશન, વિશેષ રીતે આયુર્વેદિક સામગ્રી, વીગન પ્રોડક્ટ, પ્લાન્ટ બેઝ્ડ મીટ અને એડાપ્ટોજેન્સ (એડાપ્ટોજેન્સ એવો પદાર્થ છે જે તમારા શરીર પર તણાવના નકારાત્મક પ્રભાવને દૂર કરવાનું કામ કરે છે) સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉભરતો ટ્રેન્ડ અપનાવવા પ્રત્યે વધતો ઝોક જોવા મળ્યો હતો. વર્ષ 2024 માટે ભારતના જેન-ઝેડે સ્વસ્થ રહેવા, કારકિર્દી શોધવા અને ટ્રાવેલિંગને પ્રાથમિકતા આપી છે. જો કે, અન્ય દેશોથી વિપરિત જેન ઝેડ કારકિર્દીને આગળ વધારવા પર વધુ ફોકસ કરે છે.
ભારતમાં 43% જેન ઝેડને આશા છે કે વર્ષ 2024 તેમના માટે સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટનું વર્ષ હશે. જ્યાં તેઓ પોતાના વ્યક્તિગત વિકાસમાં રોકાણ કરશે. અન્ય દેશોની તુલનામાં, ભારતના જેન ઝેડનું માનવું છે કે પોતાનો બિઝનેસ શરૂ કરવો એ સંપત્તિ હાંસલ કરવાની સૌથી સારી રીત છે. સરવે માટે આવરી લેવાયેલા વિભિન્ન દેશોમાંથી, ભારતીય જેન ઝેડ વચ્ચે ફેશનના ટ્રેન્ડને રચનાત્મક રીતે પ્રદર્શિત કરવાનો ઉત્સાહ ઉલ્લેખનીય રીતે વધુ છે. 44% ભારતીય જેન ઝેડ યુવાઓએ જીડબલ્યૂએમ (ગેટ રેડી વિધ મી) અથવા ડીઆઇવાય (ડુ ઇટ યોરસેલ્ફ) જેવા પ્રોજેક્ટમાં રૂચિ દાખવી હતી. સરવેમાં સામેલ એક ચતુર્થાંશ જેન ઝેડે જણાવ્યું કે તેમની પસંદગીના બ્યૂટી ટ્રેન્ડમાં નવી હેરસ્ટાઇલ પણ સામેલ છે.
બીજા દેશોની તુલનામાં ભારતમાં સ્પોર્ટ્સના વધુ ચાહકો
રિપોર્ટના તારણ પરથી જાણવા મળે છે કે ભારતમાં જેન ઝેડના 90% લોકો સ્વયંને પ્રશંસકોના જૂથનો હિસ્સો માને છે, જ્યારે અન્ય દેશોની જેન ઝેડ વસતીની તુલનામાં ભારતમાં સ્પોર્ટ્સના ચાહકોની ટકાવારી વધુ છે. ભલે અહીં મશહૂર હસ્તિઓ, એથ્લીટ્સ અથવા રચનાકારોનું કન્ટેન્ટ હોય, જેન ઝેડ સૌથી વધુ મહત્વ રિલેટેબિલિટીને આપે છે, જે ન માત્ર ગ્લોબલ લેવલ પર પરંતુ ભારતના સંદર્ભમાં પણ સત્ય છે. વર્ષ 2024માં ભારતીય જેન ઝેડ વિશેષ રીતે લાઇફ એડવાઇઝ, રોજિંદા જીવનના અનુભવને દર્શાવનારા કન્ટેન્ટ અને તેનાથી સંબંધિત પ્રોફેશનથી સંબંધિત કન્ટેન્ટમાં વૃદ્ધિની આશા રાખે છે.