નવી દિલ્હી19 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય મસાલા બ્રાન્ડ MDHએ પોતાની પ્રોડક્ટમાં ‘જંતુનાશકો’ હોવાના આરોપોને ફગાવી દીધા છે. કંપનીએ શનિવારે ન્યૂઝ એજન્સી PTIને જણાવ્યું કે આ દાવા ખોટા અને પાયાવિહોણા છે અને તેના માટે કોઈ નક્કર પુરાવા નથી.
MDHએ કહ્યું, ‘અમારા ઉત્પાદનોમાં ઇથિલિન ઓક્સાઇડ હોવાના આરોપ સાચા નથી. આ સિવાય કંપનીને સિંગાપોર કે હોંગકોંગના રેગ્યુલેટરી ઓથોરિટી તરફથી કોઈ સંદેશ મળ્યો નથી. આ બતાવે છે કે MDH સામેના આરોપો પાયાવિહોણા અને વણચકાસાયેલ છે.
કંપનીએ કહ્યું, ‘અમે અમારા ગ્રાહકોને ખાતરી આપીએ છીએ કે મસાલાના સ્ટોરેજ, પ્રોસેસિંગ અથવા પેકેજિંગના કોઈપણ તબક્કે ઇથિલિન ઓક્સાઇડ (ETO)નો ઉપયોગ થતો નથી. અમે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે હેલ્થ અને સુરક્ષાના ધોરણોનું પાલન કરીએ છીએ.
ભારત અને અમેરિકામાં પણ મસાલાની તપાસ થઈ રહી છે
હાલમાં, સિંગાપોર અને હોંગકોંગે એવરેસ્ટ અને MDH મસાલામાં કથિત રીતે લિમિટ કરતા વધુ ‘ઇથિલિન ઓક્સાઇડ’નું પ્રમાણ હોવાના કારણે કેટલીક કંપનીઓના ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. આ પછી, ભારત સરકારે પણ તેની પ્રોડક્ટોની તપાસ શરૂ કરી છે.
અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પણ કંપનીના મસાલાઓની તપાસ કરી રહ્યું છે. FDAના પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું, “FDA આ રિપોર્ટની જાણકારી છે અને પરિસ્થિતિ વિશે વધારાની માહિતી મેળવી રહ્યા છે,” આ પ્રોડક્ટ્સમાં આ જંતુનાશકોની વધુ માત્રાને કારણે કેન્સર થવાનું જોખમ રહેલું છે.
એવરેસ્ટ ફિશ કરી મસાલામાં કાર્સિનોજેનિક પેસ્ટિસાઈડ હોવાના આરોપ હોંગકોંગના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે MDH ગ્રુપના ત્રણ મસાલા મિક્સ – મદ્રાસ કરી પાઉડર, સંભાર મસાલા પાવડર અને કરી પાવડરમાં ઇથિલિન ઓક્સાઈડનું વધુ પ્રમાણ મળી આવ્યું હતું. આ કાર્સિનોજેનિક પેસ્ટિસાઈડ એવરેસ્ટની ફિશ કરી મસાલામાં પણ મળી આવ્યું છે.
કીટનાશક છે ઈથિલીન ઓક્સાઇડ, તેનાથી કેન્સરનું જોખમ
સ્પાઈસ બોર્ડ ઈથિલિન ઓક્સાઇડને 10.7 સેલ્સિયસથી વધુ તાપમાને જ્વલનશીલ, રંગહીન ગેસ તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે જંતુનાશક તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ તબીબી સાધનોને સ્ટરલાઈજ કરવા અને મસાલામાં માઇક્રોબિયલ કંટેમિનેશન ઘટાડવા માટે થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) એ ઇથિલિન ઓક્સાઇડને ‘ગ્રુપ 1 કાર્સિનોજેન’ તરીકે વર્ગીકૃત કરે છે. તેનો અર્થ એ છે કે તે માનવોમાં કેન્સરનું કારણ બની શકે છે તે તારણ માટે પૂરતા પુરાવા છે. ઇથિલિન ઓક્સાઇડ લિમ્ફોમા અને લ્યુકેમિયા જેવા કેન્સરનું કારણ બની શકે છે. પેટ અને સ્તન કેન્સર પણ થઈ શકે છે.
ભારતે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 32,000 કરોડના મસાલાની નિકાસ કરી હતી
નાણાકીય વર્ષ 2022-23માં ભારતે લગભગ 32,000 કરોડ રૂપિયાના મસાલાની નિકાસ કરી હતી. મરચાં, જીરું, હળદર, કરી પાવડર અને એલચી મુખ્ય એક્સપોર્ટ કરતા મસાલા છે.