નવી દિલ્હી5 કલાક પેહલા
- કૉપી લિંક
- વૃદ્ધાવસ્થા માટે બચત કરનારા પુરુષો 2% ઘટ્યા
દેશમાં 55% લોકો તો પહેલેથી જ નિવૃત્તિજીવન ગાળવા માટે બચક કે રોકાણ કરતા નથી અને 2023માં તો આ આંકડો 62% સુધી પહોંચી ગયો છે. માત્ર 38% લોકો વૃદ્ધાવસ્થા માટે રૂપિયાની બચત કરે છે. 2022માં આવા લોકોની સંખ્યા 45% હતી. બૅન્કબાઝારના સરવે રીપોર્ટમાં આ માહિતી બહાર આવી છે.
આ અંગે પુરુષો કરતાં મહિલાઓ વધુ પછાત રહી ગઈ છે. 2023માં નિવૃત્તિ માટે બચત કે રોકાણ કરી રહી હોવાનું 34.3% મહિલાઓએ જ કહ્યું હતું. 2022માં બચત કે રોકાણ કરનારી મહિલાઓ 48.45% હતી એટલે કે એક વર્ષમાં મહિલાઓની સંખ્યા 14% ઘટી ગઈ.
લક્ષ્ય – સેવા નિવૃત્તિ સુધી રૂ. 50 લાખથી 1 કરોડ જેટલી બચત
- સરવે રિપોર્ટ પ્રમાણે લોકો 20-30 વર્ષની ઉંમરે જ નિવૃત્તિ માટે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરે છે. 9% લોકોએ કહ્યું કે તેઓ 50-75 લાખ રૂપિયાની મૂડી એકત્ર કરવા ઇચ્છે છે. બીજી તરફ 8%નું 75 લાખથી 1 કરોડ રૂપિયાની બચતનું લક્ષ્ય છે.
- 2022માં 18% લોકોએ 50-75 લાખ રૂપિયા અને 17%એ 75 લાખથી 1 કરોડ રૂપિયાની મૂડી એકત્ર કરવાનું કહ્યું હતું.
- 28-34 વર્ષની 22% મહિલાઓએ કહ્યું હતું કે તેઓ 50-75 લાખ રૂપિયાનું નિવૃત્તિ ભંડોળ એકઠું કરવા માટે કામ કરે છે. 22થી 27 વર્ષની 7% અને 28-34 વર્ષની 13% મહિલાઓએ કહ્યું કે તેઓ 1.5-2 કરોડ રૂપિયા એકઠા કરવા ઇચ્છે છે.
- 67% લોકોએ કહ્યું કે નિવૃત્તિ માટે બચત ખાતામાં બચત કરવા ઇચ્છે છે. જ્યારે ફિક્સ્ડ ડિપૉઝિટ અને મ્યુચ્યુઅલ ફન્ડ પસંદ કરનારા 57% લોકો છે.
બેહાલ બચત… નિવૃત્તિનું કેવી રીતે વિચારવું?
- ફાઇનાન્સ પ્લેટફોર્મ ફિનોલૉજીના મતે 75% ભારતીય ઇમરજન્સી માટે બચત કરી શકતા નથી, માતાપિતા કે મિત્રોની મદદ લે છે.
- 29% લોકોએ કહ્યું કે તેઓનો પગાર 15 દિવસથી વધુ ચાલતો નથી.