14 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટ્રેસ અને લોકસભા સાંસદ કંગના રનૌતે બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષના આત્મહત્યા કેસ પર નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે 99 ટકા લગ્નોમાં પુરૂષોની ભૂલ હોય છે. આ કેસની સમીક્ષા થવી જોઈએ અને આવી ઘટનાઓના નિરાકરણ માટે એક અલગ બોડીની પણ રચના થવી જોઈએ.
જો લોકો લગ્નને ધંધો બનાવી દેશે તો આવી સમસ્યાઓ આવશે. અતુલ સુભાષ પાસેથી કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી રહી હતી જે તેની ક્ષમતાની બહાર હતી. આ નિંદાને પાત્ર છે. યુવાનો પર આ પ્રકારનો બોજ ન હોવો જોઈએ. તે તેના પગાર કરતા ત્રણ ગણાથી ચાર ગણા વધુ પૈસા આપતો હતો. હજુ પણ તેની પાસેથી વધુ પૈસાની માગ કરવામાં આવી રહી હતી. જેના દબાણમાં તેણે આત્મહત્યા કરી હતી.
બુધવારે સંસદની બહાર મીડિયા સાથે વાત કરી રહી હતી.

એક્ટ્રેસ કહ્યું કે આવા કેસ માટે અલગ બોડીની રચના કરવી જોઈએ
આવો કેસ જોઈ દેશ ચોંકી ગયો છે-કંગના એક્ટ્રેસે આગળ કહ્યું- દેશ ચોંકી ગયો છે. સુભાષનો તે વિડીયો હ્રદયસ્પર્શી છે. જ્યાં સુધી લગ્ન આપણી ભારતીય પરંપરાઓ સાથે જોડાયેલા છે, ત્યાં સુધી તે સારું છે. પરંતુ સામ્યવાદ, સમાજવાદ અને એક રીતે નિંદનીય નારીવાદનો મુદ્દો એક સમસ્યારૂપ બાબત છે. ખોટી મહિલાઓને કારણે રોજેરોજ પરેશાન થતી મહિલાઓની સંખ્યાને આપણે નકારી શકીએ નહીં.
બિહારના અતુલે બેંગલુરુમાં આત્મહત્યા કરી હતી બિહારના રહેવાસી AI એન્જિનિયર અતુલ સુભાષે બેંગલુરુના મરાઠાહલ્લીમાં પોતાના ફ્લેટમાં ફાંસી લગાવી લીધી. 34 વર્ષીય અતુલ સુભાષ બેંગલુરુ શહેરની એક પ્રાઈવેટ ફર્મમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં ડીજીએમ તરીકે કામ કરતા હતા. આત્મહત્યા પહેલા તેણે 24 પાનાની સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં તેણે તેની પત્ની અને સાસરિયાઓ પર હેરાનગતિનો આરોપ લગાવ્યો છે.
અતુલે એમ પણ કહ્યું કે તેની પત્નીએ સમાધાન માટે 3 કરોડ રૂપિયાની માગણી કરી હતી. જ્યારે બાળકની સંભાળ અને જાળવણી માટે અલગથી રકમ માંગવામાં આવી હતી. અતુલ સુભાષે પોતાના માટે ન્યાયની માગણી કરી હતી.