50 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્શન અને કોમેડી ટાઈમિંગ માટે પ્રખ્યાત અક્ષય કુમાર હાલમાં ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂ દરમિયાન અક્ષયે ફિલ્મોમાં કોમેડી ટાઈમિંગ અને ડાયલોગ્સ વિશે વાત કરી હતી. પોતાની પાછલી ફિલ્મો વિશે વાત કરતા અક્ષયે કહ્યું,’મારી ફિલ્મોના ડાયલોગ લખેલા નથી પણ મારી અંદરથી આવ્યા છે.’
તેની કારકિર્દીની શરૂઆતમાં, અક્ષયે ‘સૌગંધ’, ‘ખિલાડી’, ‘મોહરા’ અને ‘ખિલાડી કા ખિલાડી’ જેવી ઘણી એક્શન ફિલ્મોમાં કામ કર્યું હતું. અક્ષય કુમારે કહ્યું, ‘જો તમે ‘દે દના દન’, ‘ભાગમ ભાગ’, ‘મુઝસે શાદી કરોગી’ અને ‘હેરા ફેરી’ના ડાયલોગ્સ ધ્યાનથી સાંભળશો તો તમને તે એક જ જોનરના જણાશે. એ ફિલ્મોના કોમેડી સંવાદો લખાયા નહોતા, પરંતુ મારી અંદરથી આવ્યા હતા.’
અક્ષય કુમાર ફિલ્મોમાં તેમના કોમેડી ટાઇમિંગ અને ડાયલોગ્સનો શ્રેય દિગ્દર્શકો પ્રિયદર્શન અને રાજકુમાર સંતોષીને આપે છે. અક્ષયે કહ્યું,’મને કોમેડી ટાઈમિંગ શીખવવા અને મારી ક્ષમતામાં સુધારો કરવાનો શ્રેય પ્રિયદર્શન અને રાજકુમાર સંતોષીને જાય છે.’
અક્ષય કુમારે ‘બડે મિયાં છોટે મિયાં’ પછી પોતાના આગામી પ્રોજેક્ટ્સ વિશે ચર્ચા કરતા કહ્યું, ‘આવતા વર્ષ સુધીમાં ઘણી કોમેડી ફિલ્મો આવશે. હું એકલો જ બે-ત્રણ કરું છું. જેમાં ‘હેરા ફેરી 4’, ‘વેલકમ 3’ અને ‘હાઉસફુલ 5’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.