24 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાલમાં જ બોની કપૂરે ફિલ્મ ‘નો એન્ટ્રી 2’ ની જાહેરાત કરી છે. તે 2005માં આવેલી ફિલ્મ ‘નો એન્ટ્રી’ની સિક્વલ છે. પરંતુ પાર્ટ 2 માં કોઈ જૂના સ્ટારને કાસ્ટ કરવામાં આવ્યો નથી. સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનને બદલે, નિર્માતાઓએ દિલજીત દોસાંજ, અર્જુન કપૂર અને વરુણ ધવનને કાસ્ટ કર્યા છે.
નિર્માતાઓના આ નિર્ણયથી અનિલ કપૂર ખુશ નથી. ફિલ્મના નિર્માતા બોની કપૂરે ખુલાસો કર્યો છે કે આ નિર્ણયને કારણે ભાઈ અનિલ ખૂબ ગુસ્સે છે અને તેની સાથે બરાબર વાત પણ નથી કરી રહ્યા.

અનિલ કપૂરની સૌથી મોટી હિટ ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’નું નિર્માણ તેમના ભાઈ બોની કપૂરે કર્યું હતું
અનિલને કાસ્ટ ન કર્યા અંગે બોબીએ કહી આ વાત
બોની કપૂરે કહ્યું કે અનિલ આ સિક્વલનો ભાગ બનવા માગતો હતો. પરંતુ તે અનિલને નવા સ્ટાર્સને કાસ્ટ કરવાનું કારણ જણાવે તે પહેલાં જ આ સમાચાર સામે આવ્યા, જેના કારણે તે ગુસ્સાથી લાલઘૂમ થઇ ગયો હતો.
તેમણે કહ્યું કે ‘નો એન્ટ્રી’ની સિક્વલ માટે અનિલને કાસ્ટ ન કરવા પાછળનું કારણ એ હતું કે સ્ટોરી મુજબ તેના માટે કોઈ જગ્યા નથી.
આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે
આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે. ફિલ્મ નો એન્ટ્રીના 20 વર્ષ પૂરા થવા પર તે 2025માં સિનેમાઘરોમાં રિલીઝ થશે. સૂત્રોનું કહેવું છે કે આ ફિલ્મમાં દિલજીત, અર્જુન અને વરુણ ડબલ રોલમાં જોવા મળશે.
બોની કપૂરે આ કલાકારોને કાસ્ટ કરવાનું કારણ જણાવ્યું
બોની કપૂરે હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે તેણે ત્રણ સ્ટાર્સને કેમ કાસ્ટ કર્યા છે. તેણે કહ્યું કે વરુણ અને અર્જુન ઘણા સારા મિત્રો છે. બંને વચ્ચે શાનદાર કેમેસ્ટ્રી સ્ક્રીન પર જોવા મળશે. તે જ સમયે, આજે દિલજીતનું પણ ફેન ફોલોઈંગ વધારે છે. આ સંદર્ભમાં ત્રણેય સ્ક્રીન ઉપર ધૂમ મચાવશે.
બોની કહે છે કે તેણે આ બાબતોને ધ્યાનમાં રાખીને આ કાસ્ટિંગ કર્યું છે.

પહેલીવાર અર્જુન, દિલજીત અને વરુણ એકસાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે
2005ની ‘નો એન્ટ્રી’ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી
ફિલ્મ ‘નો એન્ટ્રી’ 2005માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન અનીસ બઝમી દ્વારા કરવામાં આવ્યું હતું અને બોની કપૂર દ્વારા નિર્મિત કરવામાં આવી હતી. ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનની ત્રિપુટી જોવા મળી હતી. ફિલ્મની વાર્તા આ ત્રણની આસપાસ હતી.
ફિલ્મમાં બિપાશા બાસુ, ઇશા દેઓલ, સેલિના જેટલી, લારા દત્તા, બોમન ઈરાની, સમીરા રેડ્ડી અને નીતા શેટ્ટી જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા.

20 કરોડમાં બનેલી ફિલ્મ નો એન્ટ્રીએ 95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું
હાલમાં નિર્માતા બોની કપૂર આગામી ફિલ્મ ‘મેદાન’ની તૈયારીમાં વ્યસ્ત છે. આ ફિલ્મનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ શર્માએ કર્યું છે. ‘મેદાન’ ફિલ્મ ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. સૈયદ અબ્દુલ રહીમે પોતાનું સમગ્ર જીવન ફૂટબોલને સમર્પિત કર્યું હતું અને ભારત માટે ઘણી સિદ્ધિઓ પણ લાવી હતી. ફિલ્મમાં અજય દેવગને તેનું પાત્ર ભજવ્યું છે.
ફિલ્મમાં અજય દેવગનની સાથે પ્રિયામણી અને ગજરાવ રાવ પણ લીડ રોલમાં છે. આ ફિલ્મ ઈદના અવસર પર 10 એપ્રિલ 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.