6 કલાક પેહલા
- કૉપી લિંક
જાહન્વી કપૂર અને ખુશી કપૂર કરન જોહરના ચેટ શો ‘કોફી વિથ કરન-8’માં જોવા મળી હતી. ચેટ શોમાં જાહન્વી તેમની માતા શ્રીદેવીના નિધન વિશે વાત કરતી વખતે ભાવુક થઈ ગઈ હતી. તેમણે શોમાં કહ્યું- જ્યારે મને ફોન આવ્યો ત્યારે હું મારા રૂમમાં હતી અને મને ખુશીનો રડવાનો અવાજ સંભળાયો હતો. હું પણ રડતા-રડતા તેમના રૂમમાં દોડીને ગઈ હતી પરંતુ મને યાદ છે કે તેમણે મારી સામે જોયું કે તરત જ તેમણે રડવાનું બંધ કરી દીધું હતું.
તે મારી બાજુમાં બેઠી અને મને શાંત કરવા લાગી. તે દિવસ પછી મેં તેમને ક્યારેય રડતા જોઈ નથી. આ બાદ ખુશી કપૂરે કહ્યું- મને લાગ્યું કે મારે દરેક માટે મારી જાતને સંભાળવી પડશે કારણ કે મને લાગે છે કે હું હંમેશા મજબૂત રહી છું.
ખુશીની કેટલીક આદતો માતા જેવી જ છે : જાહન્વી
પોતાની વાતને આગળ વધારતા જાહન્વીએ કહ્યું કે માતા અને ખુશી વચ્ચે કેટલીક સામાન્ય આદતો છે. તેમણે કહ્યું- ખુશી ખૂબ જ શાંત સ્વભાવની વ્યક્તિ છે અને મને લાગે છે કે તે અને મમ્મા સમાન ટેવો ધરાવે છે. આ પછી તે રડવા લાગે છે.
આ પછી ખુશીએ કહ્યું- મને લાગ્યું કે મારે પરિવાર માટે પોતાની જાતને મજબૂત બનાવવી પડશે. મારે આ બધું સંભાળવું પડશે. કારણ કે મને લાગે છે કે હું હંમેશા પરિવારમાં સૌથી મજબૂત રહી છું.
શ્રીદેવીનું મૃત્યુ ક્યારે થયું?
24 ફેબ્રુઆરી, 2018ના રોજ દુબઈમાં એક હોટલના રૂમમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું મૃત્યુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તે મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા માટે તેમના પરિવાર સાથે દુબઈ ગઈ હતી.
બોની કપૂરે શ્રીદેવીના નિધન અંગે વાત કરી હતી
એક જૂના ઇન્ટરવ્યૂમાં બોનીએ કહ્યું હતું કે – આ કુદરતી મૃત્યુ નથી પરંતુ આકસ્મિક મૃત્યુ હતું. મેં આ વિશે વાત ન કરવાનો નિર્ણય લીધો હતો, કારણ કે જ્યારે મારી તપાસ અને પૂછપરછ કરવામાં આવી રહી હતી ત્યારે મેં લગભગ 24 કે 48 કલાક સુધી આ વિશે વાત કરી હતી.
લાઈ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવવો પડ્યો
બોનીએ વધુમાં કહ્યું, ‘ખરેખર, અધિકારીઓએ અમને કહ્યું કે તેઓએ આટલી પૂછપરછ કરવી પડી કારણ કે ભારતીય મીડિયાનું ઘણું દબાણ હતું, અને અંતે તેમને જાણવા મળ્યું કે તેમાં કોઈ જૂઠ નથી. આ સમય દરમિયાન હું તમામ પ્રકારના પરીક્ષણોમાંથી પસાર થયો હતો, જેમાં જૂઠાણું શોધનાર ટેસ્ટ (પોલીગ્રાફ)નો પણ સમાવેશ થાય છે. અને પછી, અલબત્ત, જે રિપોર્ટ આવ્યો તે સ્પષ્ટપણે કહે છે કે તે આકસ્મિક હતું.
શ્રીદેવી હંમેશા સારા દેખાવા માગતી હતી : બોની કપૂર
બોનીએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મૃત્યુ સમયે પણ શ્રીદેવી ડાયટ પર હતી. તેમણે કહ્યું- ‘શ્રીદેવી ઘણીવાર ભૂખી રહેતી હતી, તે સારી દેખાવા માગતી હતી. તે એ સુનિશ્ચિત કરવા માગતી હતી કે તે સારી સ્થિતિમાં છે જેથી તે સ્ક્રીન પર સારી દેખાઈ શકે.
જ્યારથી અમે લગ્ન કર્યાં ત્યારથી, તે થોડા પ્રસંગોએ બ્લેકઆઉટ થઇ હતી અને ડોકટરો કહેતા હતા કે તેમને લો બ્લડ પ્રેશર છે.