42 મિનિટ પેહલા
- કૉપી લિંક
12 થી 14 જુલાઈ દરમિયાન મુંબઈમાં યોજાયેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં લગભગ તમામ બોલિવૂડ સેલેબ્સ હાજર રહ્યા હતા. જો કે, કેટલાક કલાકારો એવા હતા જેઓ મેરેજ ફંક્શનમાં આવ્યા ન હતા.
તેમાંથી એક અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં લગ્નમાં ન આવવાનું કારણ જણાવ્યું હતું.
કંગનાના નાના ભાઈ વરુણના લગ્ન 12 જુલાઈએ જ હતા.
‘તે દિવસ મારા માટે ખૂબ જ ખાસ હતો’
યુટ્યુબર સિદ્ધાર્થ કન્નનને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે કંગનાને આ વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ કહ્યું, ‘મને અનંત અંબાણીનો ફોન આવ્યો હતો. તે ખૂબ જ સારું લાગ્યું હતું. તેણે મને તેના લગ્નમાં આવવા કહ્યું. મેં કહ્યું- મારા ઘરે પણ લગ્ન છે. તે અમારા માટે ખૂબ જ ખાસ અને શુભ દિવસ હતો. મારા નાના ભાઈના લગ્ન હતા.’
અનંત અને રાધિકાના લગ્નમાં ભારત અને વિદેશની ઘણી પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. પીએમ મોદીએ પણ દંપતીને આશીર્વાદ આપ્યા હતા.
મેં તેને શુભકામનાઓ પાઠવી: કંગના
કંગનાએ આગળ કહ્યું, ‘વળી, હું ઘણા ફિલ્મી લગ્નોમાં પણ જવાનું ટાળું છું. પરંતુ મેં તેને શુભેચ્છા પાઠવી હતી.’ જ્યારે સિદ્ધાર્થે પૂછ્યું કે તમે છેલ્લી વખત બોલિવૂડની પાર્ટીમાં ક્યારે હાજરી આપી હતી, તો કંગનાએ કહ્યું કે, ‘હવે મને ખબર નથી, કોણ આટલું યાદ રાખે છે’
આ લગ્નમાં શાહરુખ ખાનથી લઈને અમિતાભ બચ્ચન સુધી લગભગ તમામ બોલિવૂડ સેલેબ્સ સામેલ થયા હતા
અંબાણીના લગ્નમાં ઘણા સેલેબ્સ આવ્યા હતા
12 જુલાઈના રોજ મુંબઈમાં યોજાયેલા અંબાણીના લગ્નમાં ભારત અને વિદેશની ઘણી પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. આ લગ્નમાં કિમ કાર્દાશિયન, જોન સીના, પ્રિયંકા ચોપરા-નિક જોનાસ, રજનીકાંત, શાહરુખ, સલમાન અને આમિર ખાન સહિત ઘણા સેલેબ્સે પોતાની હાજરી નોંધાવી હતી.
કંગનાની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ 6 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
વર્ક ફ્રન્ટ પર કંગનાની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ છે. 6 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મમાં તેના સિવાય અનુપમ ખેર અને શ્રેયસ તલપડે સહિત ઘણા કલાકારો જોવા મળશે. આ ફિલ્મને કંગનાએ ડિરેક્ટ કરી છે.