44 મિનિટ પેહલાલેખક: ઈફત કુરૈશી
- કૉપી લિંક
એક્ટ્રેસ વિજયાશ્રીને મલયાલમ સિનેમાની સૌથી સુંદર એક્ટ્રેસ કહેવામાં આવે છે. મલયાલી ફિલ્મ ઈતિહાસકારોના મતે વિજયાશ્રી એટલી સુંદર હતી કે ચાહકો માત્ર ફિલ્મો જ નહીં, પણ તેમને જોવા થિયેટરોમાં આવતા હતા. તેમની સરખામણી હોલિવૂડની પિન-અપ ગર્લ્સ રીટા હેવર્થ સાથે કરવામાં આવી હતી. આજે તેમના મૃત્યુનાં 50 વર્ષ પછી પણ તેમને મલયાલમ સિનેમાની ‘મર્લિન મુનરો’ કહેવામાં આવે છે.
ચળકાટ અને ચાહકોની ભીડથી ઘેરાયેલી વિજયાશ્રી માત્ર 13 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બની ગયાં હતાં. થોડાં વર્ષો તેઓ એ યુગના સુપરસ્ટાર, પ્રેમ નઝીર સાથે જોડી બનાવી હતી, જેમણે લોકોના મનમાં ઊંડી છાપ છોડી હતી. 60-70ના દાયકાના મલયાલમ સિનેમા સાથે સંકળાયેલા દરેક ટોચના ફિલ્મ નિર્માતાએ સ્વીકાર્યું કે તેમણે વિજયાશ્રી જેવી સુંદરતા ક્યાંય જોઈ નથી; અને પછી એક દિવસ આ સુંદરતા તેમના વિનાશનું કારણ બની ગઈ.
1973માં આવેલી ફિલ્મ ‘પોન્નાપુરમ કોટ્ટા’ના શૂટિંગ દરમિયાન વિજયાશ્રીના વાડ્રોબ માલફંક્શન થયું હતું. જ્યારે ફિલ્મ-નિર્માતાઓએ તેમને છેતરીને ફિલ્મમાં તેમનાં વાંધાજનક દૃશ્યનો સમાવેશ કર્યો ત્યારે વિજયા આઘાત સહન કરી શક્યાં નહીં. માત્ર 21 વર્ષની ઉંમરે કરિયર ટોપ પર હતી ત્યારે જ તેમણે પોતાના જીવનનો અંત આણ્યો હતો. તેમના મૃત્યુનાં 50 વર્ષ પછી પણ મલયાલમ સિનેમામાં કોઈ એક્ટ્રેસ તેમનું સ્થાન લઈ શકી નથી.
આજે વણકહી વાર્તામાં મલયાલમ સિનેમાની મર્લિન મુનરોની ચોંકાવનારી વાર્તા વાંચો-
8 જાન્યુઆરી 1953ના રોજ વિજયાશ્રીનો જન્મ તિરુવનંતપુરમના પૂજાપુરા ગામમાં થયો હતો. બે ભાઈઓમાં સૌથી મોટાં વિજયાશ્રી બાળપણથી જ ખૂબ સુંદર હતાં. આ સુંદરતાના કારણે માત્ર 13 વર્ષની ઉંમરે તેમને 1966ની તમિળ ફિલ્મ ‘ચિટ્ટી’માં એક નાનકડો રોલ આપવામાં આવ્યો હતો. પહેલી જ ફિલ્મમાં વિજયાશ્રીને જેમિની ગણેશન અને પદ્મિની જેવા ટોપના કલાકારો સાથે કામ કરવાની તક મળી. આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી અને નાની ભૂમિકામાં દેખાતી વિજયાશ્રીએ ઓછા સ્ક્રીન ટાઈમમાં પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. આના કારણે તેમને તમિળ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં અડધો ડઝન ફિલ્મો મળી હતી.
તેમની પ્રથમ ફિલ્મને કારણે તેમને મલયાલમ ફિલ્મ ‘પૂજાપુષ્પમ’માં કાસ્ટ કરવામાં આવ્યાં હતાં. થિક્કુરશી સુકુમારન નાયર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ વર્ષ 1969માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમને સાઈડ રોલ આપવામાં આવ્યો હતો, જ્યારે મુખ્ય ભૂમિકામાં પ્રેમ નઝીર અને શિલા હતાં.
દિગ્દર્શક થિક્કુરશીને તેની પ્રથમ મલયાલમ ફિલ્મમાં વિજયાશ્રીનો અભિનય એટલો ગમ્યો કે તેમણે તેમને એકસાથે 3 ફિલ્મ આપી.
70ના દાયકામાં ઓળખ મળી, એકસાથે ઘણી ફિલ્મો રિલીઝ થઈ
લંકા દહનમ (1971), ટેક્સી કાર (1972), અરોમાલુન્ની (1972), પોસ્ટમેન કન્નાનિલા (1972), અંગતટ્ટુ (1973) જેવી 70ના દાયકામાં રિલીઝ થયેલી વિજયાશ્રીની ફિલ્મો સતત હિટ રહી. એને કારણે તેમને સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિયતા મળી. જે પૈકી મોટા ભાગની ફિલ્મો વિજયાશ્રીએ સુપરસ્ટાર પ્રેમ નઝીર સાથે કરી હતી. આજે પણ પ્રેમ નઝીર અને વિજયાશ્રીની જોડીને મલયાલમ સિનેમાની સૌથી આઇકોનિક જોડી માનવામાં આવે છે.
મલયાલમ ફોટોગ્રાફરે વિજયાશ્રી અને પ્રેમ નઝીરની જોડી પર કહ્યું હતું કે ‘આ બંનેની જોડી મલયાલમ સિનેમાની સૌથી સફળ જોડી હતી. મને યાદ છે કે તેમમએ સાથે કરેલી કોઈપણ ફિલ્મ ફ્લોપ નથી થઈ.
વિજયાશ્રીને મલયાલમ સિનેમાની મર્લિન મુનરો કહેવામાં આવતાં
ડિરેક્ટર ભરતને વિજયાશ્રીની સુંદરતા પર તેના સહયોગી જયરાજને કહ્યું હતું કે વિજયાશ્રી અત્યારસુધીની સૌથી સુંદર મહિલા છે.
જ્યારે ફિલ્મ-નિર્માતા જયરાજે કહ્યું હતું કે તેઓ મલયાલમ સિનેમાની મર્લિન મુનરો છે. વિજયશ્રી જેટલાં ફેન્સ કોઈ મહિલાના નથી. ઓછા સમયમાં તેમણે એટલી હિટ ફિલ્મો આપી છે જેટલી અન્ય કોઈ એક્ટ્રેસે આપી નથી. મલયાલમ સિનેમામાં આટલી ઝડપથી કોઈ અભિનેત્રીએ આટલી અસર કરી ન હતી. લોકો તેમને જોવા માટે જ થિયેટરોમાં આવતા હતા.
વિજયાશ્રીની સુંદરતા પર અભિનેતા કડુવકુલમ એન્ટોનીએ કહ્યું હતું, જો જયન પુરુષ કલાકારોમાં સૌથી સુંદર હોય તો આજ સુધી મલયાલમ સિનેમામાં એવી કોઈ અભિનેત્રી નથી કે જેની સુંદરતાની તુલના વિજયાશ્રી સાથે કરી શકાય. તેમની સુંદરતા ભગવાનની કળા હતી.
બોલ્ડ રોલ કરીને સેક્સ સિમ્બોલ બન્યાં, પોતાની ઈમેજ બદલવાની રેસમાં ઘણી હિટ ફિલ્મો આપી
ભલે વિજયાશ્રી તેમના ચાહકો માટે મલયાલમ સિનેમામાં સુંદરતાનું ઉદાહરણ હતું, પરંતુ એક ભાગ એવો હતો, જે તેમની બોલ્ડનેસનો ફેન હતો. મલયાલમ સિનેમામાં વિજયાશ્રીને સેક્સ સિમ્બોલ અને આઈટમ ગર્લ તરીકે પણ જોવામાં આવી હતી. જોકે તેઓ પોતાની ઈમેજથી નાખુશ હતાં. આ જ કારણ હતું કે તેમણે 70ના દાયકામાં પોતાની ઇમેજ બદલવા માટે જીવનક્કન મારનુપોયા સ્ત્રી, યોવનમ, આદ્યતે કથા જેવી ફિલ્મો સાઈન કરી હતી.
સેટ પર ખુલ્લાં કપડાં, કેમેરામેને સીન શૂટ કર્યો હતો
1973માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પોન્નાપોરમ કોટ્ટા’માં વિજયાશ્રી પ્રેમ નઝીર સાથે જોવા મળી હતી. આ ફિલ્મના એક ગીત વિલ્લીયુર કાવેરેમાં વિજયાશ્રીને ધોધમાં નાહતાં બતાવવામાં આવ્યાં હતાં. ગીતના શૂટિંગ દરમિયાન વિજયાશ્રીને પારદર્શક સફેદ કપડાંમાં લપેટવામાં આવી હતી.
સીનનું શૂટિંગ શરૂ થતાં જ પાણીના જોરદાર પ્રવાહને કારણે એમાં લપેટાયેલું કપડું સરકી ગયું અને કપડામાં માલફંક્શન થયું. સેટ પર આખા યુનિટની સામે વિજયાશ્રીને શરમ આવી, પરંતુ તેમણે પોતાનાં કપડાં સંભાળીને શૂટિંગ ચાલુ રાખ્યું. કેમેરામેને બેશરમતા દાખવીને કેમેરો સ્વિચ ઓફ ન કર્યો અને તેની સાથે બનેલી આ ઘટનાને રીલ પર કેદ કરી લીધી. આ અકસ્માત બાદ વિજયાશ્રી એકદમ ગભરાઈ ગયાં હતાં. તેઓ પહેલાંથી જ પોતાની બોલ્ડ ઈમેજથી છુટકારો મેળવવા માટે સંઘર્ષ કરતાં હતાં. આ પછી તેઓ આખા યુનિટની સામે તેમનાં કપડાં ઊતરાઈ જવાને કારણે ચિંતામાં હતાં.
પોન્નાપોરમ કોટ્ટા ફિલ્મ 30 માર્ચ 1973ના રોજ રિલીઝ થઈ હતી.
ફિલ્મમાં વારડ્રોબ માલફંક્શનની ખોટી રીલ રાખવામાં આવી
જ્યારે વિજયાશ્રી તેમના આખા યુનિટ સાથે સ્ક્રીનિંગમાં પહોંચી ત્યારે આ સીન શરમજનક હતો. દર્શકોને આકર્ષવા માટે ફિલ્મના નિર્માતાઓએ ફિલ્મમાં વિજયાશ્રીનાં કપડા ઉતારવાના સીનનો સમાવેશ કર્યો હતો. આ સીન જોઈને વિજયાશ્રી સ્તબ્ધ થઈ ગયાં, કારણ કે તેમને ખાતરી હતી કે શૂટિંગ દરમિયાન જ કેમેરામેને એ ક્લિપ કાઢી નાખી હશે. વિજયાશ્રીને એ વાતથી દુઃખ થયું હતું કે તેમની પરવાનગી વિના ફિલ્મમાં તેમના નગ્ન સીનનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વિજયાશ્રીએ ફિલ્મ-નિર્માતાઓને વિનંતી કરી, ક્લિપ હટાવી ન હતી
ફિલ્મ રિલીઝ થયા બાદ વિજયાશ્રીએ ફિલ્મના નિર્માતાઓને વિનંતી કરી હતી કે તે ફિલ્મમાંથી એક સીન હટાવી દો, પરંતુ એમ થયું નહીં. એ એક સીન માટે ફિલ્મ જોવા માટે ભીડ ઊમટી પડી અને બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી.
ફિલ્મ રિલીઝ થયાના એક વર્ષ પછી પણ આત્મહત્યા, મૃત્યુ હજુ પણ પ્રશ્નના ઘેરામાં
વિજયાશ્રીએ 17 માર્ચ 1974ના રોજ આત્મહત્યા કરી હતી, ફિલ્મ પોન્નાપોરમ કોટ્ટાની રિલીઝના બરાબર એક વર્ષ પછી વિજયશ્રીએ માત્ર 21 વર્ષની ઉંમરે આત્મહત્યા કરીને ચર્ચામાં આવી હતી. એ સમયગાળામાં તેમની પાસે ઘણી મોટી ફિલ્મો હતી. તેમના મૃતદેહની નજીકથી કોઈ સુસાઈડ નોટ મળી નથી કે તેમના મૃત્યુનું કોઈ નક્કર કારણ જાણવા મળ્યું નથી. જોકે મલયાલમ ન્યૂઝ વેબસાઈટ Malayali Samayan.comના રિપોર્ટ મુજબ, ફિલ્મ પોન્નાપોરમ કોટ્ટાનો કેમેરામેન વિજયશ્રીને તેમનાં વાંધાજનક દૃશ્યો દ્વારા બ્લેકમેઇલ કરતો હતો.
ફિલ્મ ઈતિહાસકારોનું માનવું છે કે વિજયાશ્રીએ ફિલ્મ પોન્નાપોરમ કોટ્ટાના વાંધાજનક સીનથી નારાજ થઈને આત્મહત્યા કરી લીધી હતી.
મિત્રનો દાવો છે કે તેમને મૃત્યુ પહેલાં એક પુરુષ સાથે તેમના સંબંધ હતા
વિજયાશ્રીના મૃત્યુ પછી તેમની મિત્ર શ્રીલથા નંબૂથિરીએ એક મુલાકાતમાં એક વ્યક્તિ વિશે ઉલ્લેખ કર્યો હતો, જેમની સાથે તેઓ સંબંધમાં હતાં. તેમણે જણાવ્યું હતું કે તેઓ ઘણીવાર તે વ્યક્તિ સાથે સમય પસાર કરતાં હતાં. વિજયાશ્રી પણ તે વ્યક્તિ સાથે લગ્ન કરવા માગતાં હતાં. તે વ્યક્તિ મદ્રાસમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન વિજયાશ્રીને મળવા પણ આવી હતી, એ સમયે વિજયાશ્રી તેમને મળ્યા હતા, જોકે તે વ્યક્તિ વિશે તેમની પાસે કોઈ નક્કર માહિતી નહોતી.
ફિલ્મમાં વિજ્યાશ્રીની વાર્તા બતાવવામાં આવી છે
વિજયાશ્રીને મર્લિન મુનરોનો દરજ્જો આપનાર તેમને ફિલ્મી એક્ટ્રેસ બનાવ્યા હતા. આ ફિલ્મની વાર્તા વિજયાશ્રીની વાર્તા સાથે બિલકુલ મળતી આવે છે, જોકે ક્લાઇમેક્સ મૂળ વાર્તાથી અલગ બનાવવામાં આવ્યો હતો. ફિલ્મની અભિનેત્રી શારદા હતી, જે ઘણીબધી વિજયાશ્રીશ્રી જેવી દેખાતી હતી. ફિલ્મના મુખ્ય અભિનેતા જયરામને પ્રેમ નઝીર જેવો બતાવવામાં આવ્યો હતો.