27 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર રાજકુમાર રાવ હાલમાં તેની આગામી ફિલ્મ ‘શ્રીકાંત’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક્ટરનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેના પછી ચર્ચા શરૂ થઈ હતી કે એક્ટરે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.
હવે આ બાબતે સ્પષ્ટતા આપતા એક્ટર એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, કોઈ પ્લાસ્ટિક સર્જરી કરાવી નથી. આ ફોટો જોયો અને તેના પરની ચર્ચા ખૂબ જ રમુજી લાગી હતી.
રાજકુમારનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ જોઈને ચાહકો દાવો કરી રહ્યા છે કે એક્ટરે પ્લાસ્ટિક સર્જરી કરાવી
ફોટો એડિટ કરવામાં આવ્યો
આ સાથે જ ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું, ‘જો તમે તે તસવીર જાતે જોઈ હોય તો તે મારા જેવો પણ નથી લાગતો. તે ખૂબ રમુજી છે કારણ કે તે હું નથી. મને લાગે છે કે કોઈએ મારી મજાક કરી છે. મને ખાતરી છે કે ફોટો એડિટ કરવામાં આવ્યો છે. આ ફોટામાં હું K-popstar જેવો દેખાઈ રહ્યો છું.
8 વર્ષ પહેલાં ફિલર વર્ક કરવામાં આવ્યું
આ ઇન્ટરવ્યૂમાં એક્ટરે એ પણ કહ્યું કે તેમણે કરિયરની શરૂઆતમાં કોન્ફિડન્ટ દેખાવવા માટે ચિન ફિલર કરાવ્યું હતું. રાજકુમારે કહ્યું- ‘જ્યારે મેં મારું કરિયર શરૂ કર્યું ત્યારે લોકો મારા લૂક પર કમેન્ટ કરતા હતા. લગભગ 8-9 વર્ષ પહેલાં મેં મારી ચિન પર ફિલરનું કામ કર્યું હતું. મેં આત્મવિશ્વાસ રહે તે માટે આ કરાવ્યું હતું.
સાઉથની એક્ટ્રેસ જ્યોતિકા અને અલાયા એફ તેની આગામી ફિલ્મ ‘શ્રીકાંત’માં રાજકુમાર સાથે જોવા મળશે.
દિલજીતના કોન્સર્ટનો ફોટો વાઇરલ થયો હતો
રાજકુમારનો આ ફોટો દિલજીત દોસાંજના કોન્સર્ટમાંથી વાઇરલ થયો હતો. જેમાં ની ચિન ખૂબ જ શાર્પ લાગે છે. આ જોયા પછી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ કે રાજકુમારે પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.
‘શ્રીકાંત’ 10 મેના રોજ રિલીઝ થશે
વર્ક ફ્રન્ટ પર, રાજકુમાર રાવની આગામી ફિલ્મ ‘શ્રીકાંત’ છે, જે 10 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાની બાયોપિક છે.
આ સિવાય તેની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ પણ 31 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રાજકુમારની સામે જાહન્વી કપૂર જોવા મળશે.