મુંબઈ34 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂર આજે પોતાના નવા ઘરનું નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો. મુંબઈના બાંદ્રામાં બની રહેલું આ ઘર ઋષિ કપૂરે 1980માં ખરીદ્યું હતું. આ મકાનનું રિકન્સ્ટ્રક્શન છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ચાલી રહ્યું છે. રણબીર અને આલિયા દરરોજ અહીં આવે છે અને તૈયારીઓ વિશે જાતમાહિતી મેળવે છે.
રણબીર કપૂર બુધવારે પોતાના નવા ઘરનું નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો
ઋષિ કપૂરે આ ઘર 1980માં ખરીદ્યું હતું
ઋષિ અને નીતુ કપૂરે આ ઘર 1980માં ખરીદ્યું હતું અને તેનું નામ તેમની માતા કૃષ્ણા રાજના નામ પર રાખ્યું હતું. આલિયા સાથે રિલેશનશિપમાં આવ્યા બાદ રણબીર કપૂરે આ ઘરના રિનોવેશનની જવાબદારી લીધી હતી.
આ બહુમાળી બિલ્ડિંગમાં દરેક માટે રહેવાની વ્યવસ્થા
રણબીર અને આલિયા આ ઘરમાં ક્યારે શિફ્ટ થશે તેની કોઈ માહિતી નથી. ઘરનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. તે બહુમાળી ઇમારત છે. રિપોર્ટ્સ અનુસાર રણબીર પત્ની આલિયા અને દીકરી સાથે એક ફ્લોર પર રહેશે.
એક માળે નીતુ કપૂરની રહેવાની જગ્યા હશે. આખો માળ માત્ર ઓફિસો માટે જ બનાવવામાં આવશે. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર માટે પણ રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ ઘરમાં એક સ્વિમિંગ પૂલ પણ જોવા મળશે.
રણબીર કપૂર અને આલિયા અવાર-નવાર અહીં આવતા રહે છે અને તૈયારીઓની માહિતી લે છે.
રણબીર કપૂર હાલમાં તેના પરિવાર સાથે વાસ્તુ એપાર્ટમેન્ટમાં રહે છે
રણબીર કપૂર હાલમાં મુંબઈના પાલી હિલ સ્થિત વાસ્તુ એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે રહે છે. તેના અને આલિયાના લગ્ન પણ આ એપાર્ટમેન્ટમાં જ થયા હતા. લગ્ન પહેલા બંનેએ અહીં ઘણો સમય વિતાવ્યો હતો, તેથી જ તેઓએ લગ્ન માટે આ સ્થળ પસંદ કર્યું હતું.