2 મિનિટ પેહલા
- કૉપી લિંક
1987માં રિલીઝ થયેલી કલ્ટ ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’ના ડિરેક્ટર શેખર કપૂરે ફિલ્મ સાથે જોડાયેલી એક કિસ્સો શેર કર્યો છે. શૂટના દિવસોને યાદ કરતા શેખરે કહ્યું કે ફિલ્મના એકત સીનમાં એક વંદો શ્રીદેવીની પાછળ ફરેછે. વંદાથી ડરીને શ્રીદેવી રૂમની આસપાસ દોડવા લાગે છે. આ સીનનું શૂટિંગ કરવું તેમના માટે એક મોટો પડકાર હતો. કારણ કે વંદાને કેવી રીતે એક્ટિંગ કરવી તે મોટો પ્રશ્ન હતો. ફિલ્મના સિનેમેટોગ્રાફર બાબા આઝમીએ તેનો ઉકેલ શોધી કાઢ્યો હતો.
એક મીડિયા સાથે વાત કરતા શેખરે કહ્યું કે, બાબા આઝમી અને મેં વંદાને દારૂ પીવડાવવાનું વિચાર્યું. દારૂના નશામાં તે કંઈક કરશે. બંનેએ વંદો સામે થોડી રમ ઠાલવી. થોડા સમય પછી હકીકતમાં વંદો અહીં-ત્યાં દોડવા લાગ્યો. શેખરને લાગ્યું કે વંદો ખરેખર નશામાં છે. તેમણે કહ્યું- વંદાને કદાચ દારૂ પસંદ આવી ગયો હશે.
રણવીર અલ્હાબાદી સાથેના એક ઇન્ટરવ્યૂ દરમિયાન શેખર કપૂરે ‘મિસ્ટર ઈન્ડિયા’ના નિર્માણ દરમિયાન એક રસપ્રદ ઘટના સંભળાવી હતી. તેમણે કહ્યું કે નિર્માતા બોની કપૂર અને લીડ એક્ટર અનિલ કપૂર ફિલ્મ નિર્માણ દરમિયાન ખૂબ જ ડરી ગયા હતા.
તેમણે કહ્યું, ફિલ્મ શરૂ થઈ તે દિવસે અનિલ કપૂર ડરી ગયો હતો. બોની કપૂર પણ ડરી ગયા હતા અને વિચારતા હતા કે ફિલ્મ ચાલશે કે નહીં. તેમણે કહ્યું હતું કે, અમારા બધા પૈસા સાથે-સાથે પરિવારના પણ પૈસા રોક્યા છે. ભય હતો, પરંતુ શું થશે તેની કોઈને ખબર ન હતી.
‘મિસ્ટર ઈન્ડિયા’ એ જમાનાની મેગા બજેટ ફિલ્મ હતી
‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મ 80ના દાયકામાં 3 કરોડ 80 લાખ રૂપિયામાં બની હતી. તે સમય માટે આ એક મોટી રકમ હતી. આ પ્રકારની આ એકમાત્ર કાલ્પનિક ફિલ્મ હતી, જેમાં ગાયબ થવાની વાર્તા બતાવવામાં આવી હતી.
અનિલ કપૂર પહેલાં આ રોલ અમિતાભ બચ્ચનને આપવામાં આવ્યો હતો, પરંતુ અમિતાભને આ આઈડિયા પસંદ ન આવ્યો. તેમને લાગ્યું કે આ પ્રકારની સાયન્સ ફિક્શનલ ફિલ્મ નહીં ચાલે, તેથી તેમણે ફિલ્મમાં કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. જોકે 1987માં રિલીઝ થયેલી આ ફિલ્મ બ્લોકબસ્ટર હતી, તેમ છતાં તે કલ્ટ સ્ટેટસનો આનંદ માણે છે.