5 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ રિલીઝ થઈ ત્યારથી દરેક જગ્યાએ ચર્ચા થઇ હતી છે. પરંતુ સફળતાની સાથે આ ફિલ્મને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. નિર્દેશક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજે એક ઇન્ટરવ્યૂ દરમિયાન આ ફિલ્મને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું- મેં હજી નક્કી કર્યું નથી કે હું આ ફિલ્મ વિશે શું વિચારી રહ્યો છું. કારણ કે મેં આ ફિલ્મનો આનંદ માણ્યો હતો અને સાથે જ મને આ ફિલ્મથી નફરત પણ હતી.
દિગ્દર્શક અને સંગીતકાર વિશાલ ભારદ્વાજ
એવો હીરો જે પોતાને સૌથી ઉપર સમજે છે, એવા બોલિવૂ ડએક્ટરની પસંદગી કરવા પર વિશાલ ભારદ્વાજે ફર્સ્ટપોસ્ટને કહ્યું – મને લાગે છે કે ‘એનિમલ’ ફિલ્મમાં તમે કહી રહ્યા છો તે બધું હતું. અમારી પાસે ટિપિકલ હીરો પણ છે. તે સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક હતી. લોકો હજુ પણ આવી ફિલ્મો જોઈ રહ્યા છે અને આવી જ ફિલ્મો જોવા માગે છે. આટલા મોટા દર્શકો આવી ફિલ્મો જુએ છે તે આશ્ચર્યજનક છે.
પોતાની વાતને આગળ વધારતા વિશાલ ભારદ્વાજે એમ પણ કહ્યું કે ‘એનિમલ’ જેવી ફિલ્મો માટે દર્શકો છે. લોકોને ‘લાપતા લેડીઝ’ અને ’12th ફેલ’ જેવી ફિલ્મો પણ પસંદ આવી રહી છે. જે સ્પષ્ટપણે મસાલા ફિલ્મો નથી. વધુમાં કહ્યું, વિધુ વિનોદ ચોપરાએ 71 વર્ષની ઉંમરમાં પોતાના જીવનની ખૂબ જ સુંદર ફિલ્મ બનાવી છે. તેમણે કહ્યું કે વિક્રાંત મેસી જેવાએક્ટર સાથે તમને કોઈ સ્ટારની જરૂર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘એનિમલ’માં આલ્ફા મેલના કોન્સેપ્ટ પર ઘણી ચર્ચા થઈ હતી. જાવેદ અખ્તર અને કિરણ રાવ પણ ફિલ્મ પર સવાલ ઉઠાવનારાઓમાં સામેલ હતા. ખરાબ ટીકા થઈ હોવા છતાં, ફિલ્મ ‘એનિમલ’ એ વિશ્વભરમાં 900 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ઓટીટી પર રિલીઝ થયા બાદ આ ફિલ્મે ભારતીય ફિલ્મોના દર્શકોની દ્રષ્ટિએ પણ રેકોર્ડ બનાવ્યો છે.