29 મિનિટ પેહલા
- કૉપી લિંક
અખિલ ભારતીય બિશ્નોઇ સમાજના પ્રમુખ દેવેન્દ્ર બુડિયાએ સલમાન ખાનને અંગે એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે જો અભિનેતા પોતે કાળા હરણ કેસમાં માફી માગે તો બિશ્નોઈ સમાજ તેને માફ કરવાનું વિચારશે. હકીકતમાં માં થોડા દિવસ પહેલાં જ સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડે ફાયરિંગ કેસમાં તેને સપોર્ટ કર્યો હતો.
તેમણે કહ્યું કે સલમાને કાળા હરણ મુદ્દે ભૂલ કરી ત્યારે તે નાનો હતો. આવી સ્થિતિમાં બિશ્નોઈ સમુદાયે સલમાનને માફ કરવો જોઈએ અને તેમના પર આવા હુમલા ન કરવા જોઈએ. સલમાન વતી તેમણે બિશ્વોઈ સમુદાયની માફી પણ માગી હતી.
હવે દેવેન્દ્ર બુડિયાનું તેમની માફી અંગેનું નિવેદન સામે આવ્યું છે.
સલમાન સાથે સોમી અલી
દેવેન્દ્ર બુડિયાએ શું કહ્યું?
દેવેન્દ્ર બુડિયાએ સોમીને જવાબ આપતા કહ્યું કે જો સલમાન ખાન પોતે માફી માગે તો બિશ્નોઈ સમાજ માફી ઉપર વિચાર કરશે.
વધુમાં કહ્યું, ‘સલમાને બિશ્નોઈ સમુદાયને પ્રસ્તાવ મૂકવો જોઈએ કે તે માફી માગવા માગે છે. તેમણે મંદિરમાં આવીને માફી માગવી જોઈએ. તેઓએ શપથ લેવા જોઈએ કે તેઓ ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય નહીં કરે. પશુ-પક્ષીઓની સુરક્ષા માટે હંમેશા કામ કરશે. જો તેઓ આમ કરશે તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરવાનો નિર્ણય લેશે.
14 એપ્રિલે સલમાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું.
રવિવારે (14 એપ્રિલ) સવારે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ થયું હતું. આ મામલામાં પોલીસને ફાયરિંગ કરનાર અને તેને કરાવનાર વ્યક્તિ વિશે નક્કર માહિતી મળી છે. લોરેન્સ ગેંગના અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત ગોદારાએ ફાયરિંગની જવાબદારી લીધી છે.
1998માં બનેલી કાળિયાર શિકારની ઘટનાને લઈને બિશ્નોઈ સમુદાય ગુસ્સે છે, જેને ટાંકીને લોરેન્સે એક ટીવી ઇન્ટરવ્યૂમાં સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી.
સલમાનની ‘સિકંદર’ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થશે
સલમાન ખાને હાલમાં જ ઈદના અવસર પર તેની આગામી ફિલ્મ ‘સિકંદર’ની જાહેરાત કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન સાઉથના પ્રખ્યાત નિર્દેશક એ. આર. મુરુગાદોસ દિગ્દર્શન કરશે, જેમણે અગાઉ ‘ગજની’, ‘હોલિડે’ અને ‘અકીરા’ જેવી હિન્દી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. સાજિદ નડિયાદવાલા તેના નિર્માતા હશે. નિર્માતા સાજિદ નડિયાદવાલા સાથે સલમાને ‘જુડવા’, ‘મુઝસે શાદી કરોગી’ અને ‘કિક’ સહિત ઘણી હિટ ફિલ્મો આપી છે.