મહેસાણા47 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ધરોઈ ડેમ 6 મહિનામાં રોશનીથી ઝગમતો થશે, શામળાજી મંદિરના 18 મહિનામાં રંગરૂપ બદલાશે
ઉત્તર ગુજરાત ટુરિઝમ સર્કિટના કેન્દ્રમાં આવતા ધરોઈ ડેમ તરફ પ્રવાસીઓને આકર્ષવા ગુજરાત ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેકટ હાથ ધર્યો છે. જેમાં ધરોઈ ડેમને રાત્રી દરમિયાન રોશનીથી ઝગમગતો થશે. 12 જેટલા જુદા જુદા રંગોથી ધરોઈ ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે. દરરોજ રાતે ડેમ 12 ગેટ પર અલગ અલગ પ્રકારના રંગોમાં જોવા મળશે. આ પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા વર્ક ઓર્ડર આપ્યાથી આગામી 6 મહિનામાં ધરોઈ ડેમ રોશનીથી ઝગમગતો થશે. ધરોઈ ડેમ પર પ્રવાસીઓ દિવસે જ મુલાકાત લઇ શકે છે. હવે કામગીરી પૂર્ણ થયા બાદ પ્રવાસીઓ મોડી સાંજ બાદ પણ ધરોઈ ડેમની મુલાકાત લેતા થશે. જેના કારણે સ્થાનિકોને પ્રવાસીઓથી મળતી રોજગારીમાં વધારો થશે. જ્યારે રૂ.8.47 કરોડના ખર્ચે શામળાજી મંદિરનાં નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઇ છે.વર્ક ઓર્ડર આપ્યા તારીખથી દોઢ વર્ષની સમય મર્યાદામાં આકર્ષક સ્ટોન ગેટ, યજ્ઞશાળા, મલ્ટીપર્પઝ ઉપયોગ માટે રૂમ, ઓફિસ તેમજ સ્ટોરરૂમ અને રાજભોગ પ્રસાદ માટે એક સાથે 24 ભક્તો બેસી શકે તેવા ડાઇનિંગ હોલ સાથે રાજભોગ રસોડાનું નવીનીકરણ હાથ ધરાશે.