મુંબઈ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
- તેમનું જિલ્લાધ્યક્ષપદ છીનવી લેવાનું કાવતરું ઘડાયું હતું
આનંદ દીઘેની લોકપ્રિયતા વધી રહી હતી અને તેઓ સફળતાનાં શિખર પર હતા ત્યારે તેમને ત્રાસ આપવામાં આવ્યો હતો. આટલું ઓછું હોય તેમ તેમનું જિલ્લાધ્યક્ષ પદ છીનવી લેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેમનું સંપૂર્ણ જીવન આશ્રમમાં વીત્યું, પરંતુ તેમનું નિધન થયું ત્યારે દીઘેની પ્રોપર્ટી ક્યાં ક્યાં છે એવો પહેલો સવાલ ઉદ્ધવ ઠાકરેએ પૂછ્યો હતો, એવો ગંભીર આરોપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કર્યો હતો. દીઘેને કારણે જ હું આજે આ મુકામ સુધી પહોંચી શક્યો છું. તારે સમાજ માટે કામ કરવાનું છે એવા એમના શબ્દો આજે પણ મારા કાનમાં ઘૂમરાયા કરે છે. ધર્મવીર ફિલ્મમાં આ સંદર્ભે રાજન વિચારેએ રાજીનામું આપવાનો જે પ્રસંગ દેખાડવામાં આવ્યો છે તે કાલ્પનિક છે. વાસ્તવમાં તે સમયે રાજન વિચારે રાજીનામું આપવા તૈયાર નહોતા, પરંતુ જ્યારે દીઘેએ પોતાની રીતે સમજાવ્યા ત્યારે તેમણે રાજીનામું આપ્યું હતું. હવે વાસ્તવિક સ્થિતિ બીજા ભાગમાં સામે આવશે, એમ પણ મુખ્ય મંત્રીએ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે રોજ સવારે એક ભૂંગળું વાગે છે, બપોરે