જામનગર29 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 200 સ્ટ્રીટ લાઈટ નાખી ગામનો અંધકાર દૂર કરવામાં આવ્યો
જામનગરના ત્રણ હજાર ની વસ્તી ધરાવતા નાઘેડી ગામમાં રૂપિયા 14 લાખના ખર્ચે નવું પંચાયત ઘર બનાવવામાં આવ્યું છે. તેમ ગામના સરપંચ બાંભવા સુરાભાઈ સાજણભાઈએ જણાવ્યું હતું વધુમાં તેણે કહ્યું હતું કે ગામમાં સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી જાહેર શૌચાલય બનાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ ઉપરાંત ટૂંક સમયમાં ગામોમાં ઘરે-ઘરે કચરાપેટીનું વિતરણ પણ કરવામાં આવશે. ગામના લોકોને આગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પંચાયત અને દાતાના સહયોગથી ગામમાં 200 જેટલી સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી છે આ ઉપરાંત ગામના લોકોને પાણીની પૂરતી સગવડ વળી રહે તે માટે ત્રણ સમ્પ બનાવવામાં આવ્યા છે તેમજ 16 હજાર મીટર પાણીની પાઇપલાઇન પણ નાખવામાં આવી છે. આ ઉપરાંત ઘરે ઘરે પાણીના જોડાણ પણ આપવામાં આવ્યા છે. ગામમાં પાણીની અછત ન સર્જાય તે હેતુથી સ્વ ખર્ચે તળાવ ઊંડા ઉતારવાનું કામ પણ કરવામાં આવ્યું છે તેમજ ગામમાં બનાવેલા કોઝવે ની પણ ઊંચાઈ વધારવાનું કામ કરવામાં આવ્યું છે દાતા ના સહયોગથી ગૌશાળા તેમજ આરોગ્ય કેન્દ્ર પણ બનાવવામાં આવ્યા છે. ગ્રામજનોને ગામની અંદર આગમન કરવામાં મુશ્કેલી ન પડે તે માટે પેવર બ્લોક તેમજ આરસીસી રોડનું કામ પણ કરવામાં આવ્યું છે.
આરોગ્ય લક્ષી કેમ્પ યોજાય છે