અમદાવાદ10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગોપીનાથજી હવેલી દોશીવાડાની પોળ ખાતે મહાપ્રભુજી વલ્લભાચાર્ય પ્રાગટ્ય નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ગોસ્વામી રણછોડલાલજી (આભરણાચાર્યજી)ના માર્ગદર્શનથી સૌ વૈષ્ણવો તેમજ સર્વે ભક્તજનોએ શોભાયાત્રામાં પધારી આનંદ પૂર્વક ભાગ લીધો હતો. આ શોભાયાત્રા કાલુપુર અને ખાડીયાના વિવિધ વિસ્તારોમાં ફરી અને સમગ્ર વિસ્તારના ભક્તોએ દર્શનનો લાભ લીધો. વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.