જામનગરમાં સોમવારે ગરમીમાં વધુ 2.3 ડિગ્રીનો ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી હતી. પવનની ગતિ 35 થી 40 કીમી પ્રતિકલાક રહી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 ટકા રહ્યું હતું. જામનગરમાં ફૂંકાયેલા તેજીલા વાયરાઓ વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાનનો પારો વધુ 2.3 ડીગ્રી નીચે સરકીને 33.2 ડીગ્રીએ પહોંચી ગયો હતો. ગરમીમાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી. જામનગરમાં છેલ્લા બે સપ્તાહથી તેજીલા વાયરાઓ ફૂંકાવાનો દોર ચાલી રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન પણ યથાવત્ રહ્યો હતો. પવનનીગતિ પ્રતિકલાકની સરેરાશ 35 થી 40 કિ.મી.ની રહેવા પામી હતી. તેજીલા પવન તથા વાદળછાયા વાતાવરણના પગલે છેલ્લા ચોવીસ કલાકમાં 2.3 ડીગ્રીનો ઘટાડો નોંધાયો હતો. બે ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન 25.5 ડીગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડા તથા ગતિમાન પવન અને વાદળછાયા વાતાવરણના સમન્વયને પગલે ગરમીમાં ઘટાડો થતા જનતાએ રાહત અનુભવી હતી. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 ટકા રહ્યું હતું.
Source link