રાજકોટ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ મનપાની ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ શાખા દ્વારા અટલ સરોવરનાં સ્ટાફ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અટલ સરોવરમાં લગાવવામાં આવેલા ફાયર સેફટીનાં સાધનોનો આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ? તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ, સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કઈ રીતે કરવો? તે અંગેની માહિતી અપાઈ હતી અને ફાયરના સાધનોની જાળવણી કરી પોતાનો તથા અન્યનો બચાવ કેમ કરવો? તે અંગેની તાલીમ આપવામા આવી હતી. સાથે-સાથે અટલ સરોવરની મુલાકાતે આવતા સહેલાણીઓમાંથી કોઇ અકસ્માતે પાણીમાં પડી જાય તો તાત્કાલિક તેનો બચાવ કઇ રીતે કરવો ? બચાવ કર્યા બાદ શરીરમાંથી પાણી કઇ રીતે બહાર કાઢવું? તે અંગે ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર સહિતનાઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તકે પબ્લિકને તેમના બચાવ માટે CPR કેમ આપવું? તેમજ ઉનાળાના સમયમા કોઇ વ્યક્તિને ડીહાઇડ્રેશન થયેલ હોય, તો તાત્કાલિક બચાવ માટે શું કરવું? તે અંગે આરોગ્ય વિભાગની મેડીકલ ટીમ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા. મનપા દ્વારા વધુ 98 આસમીઓ પાસેથી 6.23 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું, રૂ. 27,950 વસૂલાયા.
પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરીને દંડ વસૂલ્યો રાજકોટ મનપા