આણંદ23 મિનિટ પેહલા
- કૉપી લિંક
આણંદ તાલુકાના નાપાડવાંટા ગામે ભવાળુ ફળીયું વિસ્તારમાં 24 વર્ષીય મોઈનકુમાર મનહરખાન રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે. તેમણે નાપાડ ગામ સ્થિત મોટી નહેર ગોહેલપુરા પાસે રહેતા સોહેલખાન મહેમુદખાન દુધવાળાને ગીરો મુકાવેલી બાઈકની આરસીબુક પાછી માંગી હતી. જેને લઈ શખસે મોઈનકુમાર તેમજ અન્ય પરિવારજનો સાથે ઝઘડો કરી અપશબ્દ બોલી લાકડાના દંડાથી માર માર્યો હતો. આ મામલે પોલીસે મારામારીની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.