જામનગર1 કલાક પેહલા
- કૉપી લિંક
- પ્રજ્ઞાચક્ષુએ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના પર્વમાં સહયોગ આપ્યો
જામનગર જિલ્લામાં તમામ મતદાન મથકો ખાતે દિવ્યાંગ મતદારોને લઇ આવવા લઇ જવાની તથા વ્હીલચેરની પણ વ્યવસ્થા કલેક્ટ બી.કે.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. આથી દિવ્યાંગોએ વ્હીલચેરમાં બેસી મતદાનની ફરજ નિભાવી હતી. પ્રજ્ઞાચક્ષુઓએ પણ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જામનગર જિલ્લામાં દિવ્યાંગો દ્રારા સંચાલિત 5 મતદાન મથકો રાખવામાં આવ્યા હતાં. જેમાં 77-માવાપર, 75-બેડી, 169-જામનગર(ખંભાળિયા હાઈવે), 22-જામનગર (કૃષ્ણનગર મેઈન રોડ), 81-લાલપુરનો સમાવેશ થાય છે. જિલ્લામાં 10204 દિવ્યાંગ મતદારો નોંધાયા હતાં.