અમદાવાદ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
શામ સેવા ફાઉન્ડેશનના ચેરમેન તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં પ્રમુખ મગનભાઈ પટેલે શ્રીમદ્ વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય પ્રસંગે એક ઉદબોધનમાં જણાવ્યું હતું કે શ્રીમદ્ વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાયના એક પ્રસિધ્ધ અને તેજસ્વી આચાર્ય હતા. પુષ્ટિમાર્ગના અનુયાયીઓ તેમને મહાપ્રભુજી તરીકે પણ ઓળખે છે અને પૂજે છે. તેમનો જન્મ એક વિદ્વાન ભારદ્વાજ ગોત્રી તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ત્યાં ચંપારણ્ય, છત્તીસગઢમાં વિક્રમ સંવત 1535 (વર્ષ.1479)માં ચૈત્ર વદ અગિયારસના રોજ આજથી આશરે 547 વર્ષ પૂર્વે થયો હતો. શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ બનારસમાં રહીને વેદ, વેદાંત, દર્શન, સૂત્રો, ધર્મશાસ્ત્ર, પુરાણો અને ઇતિહાસનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
તેમણે સમગ્ર ભારતમાં પર્યટન કરીને પોતાના ધાર્મિક વિચારોનો