Updated: Apr 30th, 2024
Lok Sabha Elections 2024 | વાંકાનેરના રાજવી અને ભાજપના રાજ્યસભાના સભ્ય કેસરીદેવસિંહજીએ પ્રેસ કોન્ફરન્સ કરીને રાહુલ ગાંધીએ મહારાજાઓ વિષે જે ઉચ્ચારણો કર્યા તેની ટીકા કરી હતી. આ સામે મોરબીથી કરણીસેનાના પ્રમુખ જયદેવસિંહ જાડેજાએ પ્રતિક્રિયા જારી કરીને જણાવ્યું કે ભાજપના સાંસદ કેસરીદેવસિંહજી જ્યારે પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની બેન-બેટી વિષે અભિદ્ર ટીપ્પણી કરી ત્યારે કેમ ચૂપ રહ્યા હતા. એમના વિશે ક્યારે બોલશો.
તેમણે કહ્યું કે ક્ષત્રિય સમાજની બેન- દિકરીઓ એક મહિનાથી રસ્તા પર ઉતર્યા છે. રૂપાલા સામે એવો રોષ છે, કેસરીદેવસિંહજી રાજવી છે અને પ્રજાને પડખે ઉભા રહેવું જોઈએ, સમાજને ભૂલવો ન જોઈએ છતાં તેઓ કેમ ચૂપ રહ્યા તે પ્રશ્ન પણ પુછ્યો છે.
બીજી બાજુ રાજકોટના રાજવી માંધાતાસિંહજીએ રાહુલ ગાંધીના નિવેદન બાદ તુરંત જ કડક પ્રતિક્રિયા જારી કરીને અમારી સહનશીલતાને નબળાઈ ગણશો નહીં તેમ ચિમકી પણ આપી છે. ઉલ્લેખનીય છે કે તેમણે એ પહેલા રૂપાલાના નિવેદનની ટીકા કરી હતી પરંતુ સંવાદથી તેનો ઉકેલ લાવવા અપીલ કરી હતી.