દ્વારકા ખંભાળિયા8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચૈત્રી સુદ તેરસના શુભ દિને દ્વારકાધીશ શ્રીકૃષ્ણ અને તેમના મુખ્ય પટ્ટરાણી માતા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ પરંપરાગત રીતે ઊજવાયો હતો. સાંજે 7.00 કલાકથી દ્વારકાના રૂક્ષ્મણી મંદિરના પટાંગણમાં ધાર્મિક વિધિવિધાન સાથે ભગવાન દ્વારકાધીશજી અને માતા રૂક્ષ્મણીજીનો ભવ્ય લગ્નોત્સવ ઊજવાયો હતો. તા.17, 18, 19 એપ્રિલ દરમિયાન ઉજવાયેલા શ્રીજી શ્રીપટ્ટરાણીજીના લગ્નોત્સવમાં સાંજીના ગીત, સંગીત સંધ્યા, માતાજીનો વરઘોડો, અન્નકુટ મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આજરોજ સંપૂર્ણ ધાર્મિક વિધિ વિધાન સાથે બહોળી સંખ્યામાં ભાવિકોની ઉપસ્થિતિમાં પૂજારી અરૂણભાઈ દવે તેમજ લગ્નોત્સવમાં મુખ્ય યજમાન પરિવારની ઉપસ્થિતિમાં શ્રી દ્વારકાધીશજી અને શ્રી રૂક્ષ્મણી માતાજીનો લગ્નોત્સવ ઊજવાયો હતો.