સુરત11 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છેલ્લા 22 દિવસથી ગુમ હતા. ત્યારે મોડી સાંજે સામે મીડિયા સમક્ષ હાજર થયા હતા અને તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મેં નહીં કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. જો કે, વધુમાં એમ પણ કહ્યું હતું કે, મારે ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી. ઉલ્લેખનીય છે કે, ફોર્મ રદ થયા બાદ નિલેશ કુંભાણી એક જ વાર સામે આવ્યા હતા અને તે પણ વીડિયો રૂપે સામે આવ્યા હતા.
મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી નિલેશ કુંભાણીએ જણાવ્યું