- Gujarati News
- Local
- Gujarat
- Junagadh
- On The Occasion Of Amas Of Chaitra Month, A Large Number Of People Thronged Damodar Kund For Pitrutarpan, Drinking Water From The Barrel And Worshiping The Ancestors.
જૂનાગઢ5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગરવા ગિરનારની ગોદમાં આવેલ દામોદર કુંડ કે જે ભારતની 42 નદીઓ માની એક નદી એટલે સોનરખ નદી આ દામોદર કુંડમાંથી પસાર થાય છે. ત્યારે દરેક માસની અમાસ નિમિત્તે જૂનાગઢના દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં લોકો પિતૃતર્પણ માટે ઉમટી પડતા હોય છે.. ચૈત્રી માસ નિમિત્તે લોકો પિતૃઓના મોક્ષ માટે લોકો તર્પણ કર્મ કરી અને પિતૃઓને જલ અર્પણ કરે છે અને પિંડદાન કરે છે…અમાસના દિવસે લોકો પોતાના પિતૃઓના મોક્ષ સદગતિનું કર્મ કરવા ઉમટી પડ્યા છે. જ્યારે દામોદર કુંડના ઘાટ ખાતે બ્રાહ્મણો પાસે તર્પણ કરાવે છે અને શ્રદ્ધાથી શ્રદ્ધાળુઓ બ્રાહ્મણોને દાન પુણ્ય અર્પણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે… અમાસનો દિવસ એટલે પિતૃ મોક્ષાર્થે જલાંજલિ અને તર્પણ માટે મહત્વનો દિવસ ગણી શકાય છે. અને શ્રદ્ધાળુઓ પિતૃતર્પણ કરી દામોદર કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી રહ્યા છે સાથે પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
દામોદર કુંડના તીર્થ ગોર યતિન વ્યાસે આજે ચૈત્રી અમાસ છે